SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ અપેક્ષાએ પાંચ ઈન્દ્રિયોમાં સૌથી વધારે રસનેન્દ્રિયના ભોગને પાપ કહ્યું છે. આહારની આસક્તિમાત્રથી મનુષ્ય, માછલા સાતમી નરકમાં જઈ શકે? आहारनिम्मत्तेणं मच्छा गच्छंति सत्तमी पुढवीं।। सचित्तं आहारं खमो मणसाऽवि न पत्थेइ।।५१।। | (આઉર પચ્ચખ્ખાણ પયન્તો) માત્ર આહારને ભોગવવાની ઈચ્છામાત્રથી જ તંદુલિયો મત્સ્ય ૭મી નરકમાં જાય છે. આથી સાધુ સચિત્ત આહારની મનથી પણ ઈચ્છા ન કરે. આહારના પગલોમાં સુખ શું છે? આહાર પુગલો પણ પરમાણુના સ્કંધરૂપ છે. દરેક પરમાણુમાં બે સ્પર્શ, એક વર્ણ, એક ગંધ અને એક રસ અવશ્ય હોય. જે સ્કંધ હોય તેમાં સ્પર્શ, રસાદિ વધારે પણ હોઈ શકે. આમ રસનેન્દ્રિય સાથે પુદ્ગલો જ્યારે વિશેષથી એકમેક જોડાય અને રસના સ્વાદના જ્ઞાનની સાથે મોહ ભળે ત્યારે જીવને સુખાભાસ થાય. રસગુલ્લા, ગુલાબ જાંબુ, માલપુઆ વગેરે વસ્તુમાં, જીભ સાથે જ્યારે સંયોગ થાય ત્યારે પ્રથમ સ્પર્શ પછી કોમળતા, શીતળતા, સ્નિગ્ધતા વગેરે શુભ અનુકૂળ સ્પર્શના સંયોગ અને તેમાં સૌ પ્રથમ મિથ્યાત્વના ઉદયે સુખનો આરોપ અને તેના પ્રાપ્તિપણાના જ્ઞાનથી પોતાને સુખી માની લે છે તે પ્રમાણે તેમાં મીઠાશનો અર્થાત્ મધુરતાના પરમાણુનું જીભ સાથે એકમેક ભળતાં જે જ્ઞાન થાય અને તે મધુરતા સુખ રૂપ-રતિનો ઉદય થવાથી ગમારૂપ લાગે અને રાગના ઉદયથી તેની સાથે રહેવાના ભોગવવાનો ભાવ થવાથી જીભ પર વધારે સમય રાખી ચાવી ચાવી રસાસ્વાદ માણવાનું સુખ અનુભવશે, પણ તેમાં તેને કંટાળો નહીં આવે, કે હું પુદ્ગલના ગ્રહણ પરિણમનાદિ જે મારા આત્માના સ્વભાવની વિરુદ્ધ પ્રવૃત્તિ છે તે કરવા દ્વારા મારા આત્માનું કિંમતિ વીર્યધન-સમય- વેડફી કર્મનો ભાર ખાલી કરવાને બદલે વધારી ભવભ્રમણ વધારવાનું કરું છું તેવો પશ્ચાત્તાપ નહીં થાય. યોગીઓ પુદગલભાવમાં સહજ ઉદાસ કેમ?: शुद्ध प्रेमरसास्वादे कृते निर्भयताडडत्मनि।। जायते अनुभवः साक्षाद्वेघते प्रेमयोगिभिः।।३३।। (પ્રેમગંગા) 246 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy