SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મના ઉદયે આજ્ઞા યોગમાં ન હોત તો પણ વિષયો પ્રત્યેનો આદર બહુમાન વાળોન જ હોત – પણ મને જરૂર તેમાં પશ્ચાત્તાપ થાત. પરમાત્માનો પ્રભાવ તો સાક્ષાત્ છે. પરમાત્મા પ્રત્યેની નિષ્કામ પ્રીતિ, ભક્તિથી દેવપાલ તીર્થંકર પદ પામ્યા: આપણી દષ્ટિ ફરે તો વર્તમાનમાં ચમત્કાર થાય. મુગ્ધ, જડમતિવાળા ભેંસો ચરાવતાં દેવપાલને જંગલમાં પ્રભુ પ્રતિમા રૂપે મળ્યા, પ્રભુ ગમી ગયા. પ્રીત બંધાણી, પ્રભુ દર્શન છૂટે નહીં તેથી ભક્તિ ઉમટી, અભિગ્રહ પ્રભુદર્શન વિના ભોજન નહીં, ૭ દિવસ મૂશળધાર વરસાદ, પ્રભુ દર્શનની લગન-પ્રભુના દર્શનની પ્રતીક્ષામાં સમય પસાર, પણ ભોજનની ચિંતા નહીં, ૭ ઉપવાસ, ૮મા દિવસે દર્શન-પ્રભુને ઠપકો કેમ દર્શન નહીં? મારો શો અપરાધ? ચક્રેશ્વરી દેવી ખુશ થઈ પ્રગટ થયા. “પ્રભુ સિવાય કંઈ ન જોઈએ’– દેવી વિશેષ ખુશ-વરદાન-રાજપ્રાપ્તિ -સમગ્ર રાજ્ય પ્રભુમંદિરથી મઢી દીધું. પ્રીતિ-ભક્તિની પરાકાષ્ઠા વડે તીર્થકરનામ કર્મ બાંધી તીર્થકર. માત્ર પ્રભુના દર્શનની પ્રીતિ-પરિણામ સ્વયં પરમાત્મા પદને પામ્યા. આવો અચિંત્ય મહિમા પરમાત્માનો યોગ્ય પર જ પડે. વીર પરમાત્માને પ્રદક્ષિણા આપી ગોશાળામાં પ્રવેશેલી તેજોલેશચાનો પ્રભાવ, વીર પરમાત્માની ઘોર આસાતના કરનાર ગોશાળાનું ભારીકર્મ બળ્યું, સમકિત અને દેવલોકની પ્રાપ્તિ થઈ: ગોશાળો પ્રભુના આભાસરૂપ શિષ્ય તરીકે રહ્યો તો પ્રભુએ તેને તેજોલેશ્યા આપી. તે જ તેજલેશ્યા તેણે પ્રભુને બાળવા માટે છોડી પણ પ્રભુનો અચિંત્ય પ્રભાવ, નિર્મળ કૃપાદષ્ટિ, તેજોલેશ્યાથી ગોશાળાનું શરીર તો બળ્યું સાથે ભારી કર્મીપણું પણ બળ્યું. જેથી અંતિમ ઘડીએ પશ્ચાતાપથી સમક્તિની પ્રાપ્તિ અને દેવલોકની પ્રાપ્તિ. આવા અચિંત્ય પ્રભુનો મહિમા આપણા પર કેમ ન પડે? તે માટે જરૂર છે આપણે આત્મહિતની યોગ્યતા રૂપે થવાની. સુખ એ આત્માનો સહજ સ્વભાવ જ છે એટલે આત્મા સુખને જ ઈચ્છે તેમાં કોઈ આશ્ચર્ય નહીં. ર૪ કલાક આત્માની ચાહના સુખની જ છે. તેથી જેનાથી જેનામાં સુખ મળે તેને ચાહે. ગઢષભ જિનેશ્વરપ્રીતમ હારારે, ઔર ન ચારેકંત;' શુદ્ધજ્ઞાન ચેતના પત્ની-જિનેશ્વર પરમાત્માને વિનંતિ કરે છે. ઋષભ જિનેશ્વર આપ જ મહારા પ્રિયતમ શા માટે? પૂર્ણ સુખથી ભરેલા છે. તેથી હું બીજા કોઈ અજીવ તત્વ | 239
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy