SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ અને સમકિતના પરિણામ લાવવા સર્વજ્ઞ તત્ત્વનું શરણું – કેવલિ પનzત્ત ધર્મ શરણં પવજામિ-સ્વીકારવું પડે. સ્વાત્મ સ્વભાવ અને પુદ્ગલના સ્વભાવનો નિર્ણય જરૂરી. દરેક વસ્તુને માત્ર પર્યાય દષ્ટિથી નહીં પણ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી વિચારવી. તત્ત્વ દષ્ટિ રાગ-દ્વેષને અટકાવનાર થાય. ‘વસ્તુ વાસ્તુ વિચારતા મન પામે વિશ્રામ' તત્ત્વદષ્ટિથી વિકલ્પો શાંત થાય. પરમાણુમાં વ્યવહારે એક અને નિશ સત્તારૂપે પાંચ વર્ણ છે. દરેક પુદ્ગલ સ્કંધનો અંતિમ અંશ પરમાણુ. દરેક પરમાણુમાં વ્યવહારે એક વર્ણ છે અને નિશ્ચયથી સત્તાએ પાંચ વર્ણ છે. જ્યારે સ્કંધમાં પાંચ વર્ણ પણ હોય. એક પરમાણુમાં લાલ વર્ણ છે પણ તે સદા એ રહે તેવો નિયમ નહીં. તે લાલ વર્ણ લીલો, પીળો અને સફેદ પણ થાય. પ્રત્યેક વનસ્પતિ ઉગતી વખતે તેના અંકુર લાલ હોય પછી તે લીલા થાય, પછી પરિપકવ થાય ત્યારે પીળા પણ થાય. ડાળીથી પડી ગયા પછી કાળા કે સફેદ પણ થાય, તેમ સ્કંધમાં એક સાથે પાંચે વર્ણ ભેગા પણ હોય. ભમરો પપ્પદી કહેવાય. સૂર્યના કિરણ સપ્તરંગી કહેવાય. આમ કેમ? જો સત્તામાં ન હોય તો ક્રમે કે એક સાથે બધા રંગો ન થાય. જેમ દૂધમાં ઘી છે છતાં ન પણ દેખાય. પણ પ્રક્રિયા દ્વારા તે ઘી નીકળે. “પગલનો જે કરે સંગ, તેનો નિત્ય રે રંગ, જે આત્માનો કરે સંગ તેને ચડે ગુણોનો રંગ.” આમ વર્ણ પરિવર્તનશીલ. તે પુદ્ગલની શોભા વધારનાર બને તેમ શોભા બગાડનાર પણ બને. આથી જે પુદ્ગલથી પોતાની શોભા માને, પોતે માનેલા વર્ણ રૂપે વસ્તુ પ્રાપ્ત થઈ તેમાં સુખ માને અને તે સુખથી વિપરીત થાય તો દુઃખી થાય. તત્ત્વ દષ્ટિવાળાને બન્નેમાં સમાધિ-સમતા ભાવ હોય. ગમે તેટલું રૂપવાન મુખરોગમાં વિવર્ણને પામે, શોકમાં શ્યામપણાને પામે, વ્યવહારમાં ગમે તેટલું બગડે તો પણ તત્ત્વ દષ્ટિ જીવનું આત્મ સૌંદર્ય બગડે નહીં અને તેની તેને ચિંતા પણ નહીં અર્થાત્ તત્ત્વદષ્ટિવાળો સમતાભાવમાં રહે. સનકુમાર ચક્રવર્તીએ બાહ્યરૂપ બગડેલું જોતા આંતરસૌદર્યની સાધના શરૂ કરી: સનતકુમારના રૂપનાં ઈન્દ્ર વખાણ કર્યા, દેવો પરીક્ષા માટે આવ્યા, રૂપનું અભિમાન થયું. તરત રૂપ-૧૬ રોગથી વિવર્ણને પામ્યું. સનકુમાર ચેતી ગયા, અજીવ તત્વ | 231
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy