SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલમાં ગતિના કારણે બંધ અને ભેદ, યોગ અને વિયોગરૂપે પરિણમન થાય અને સંસ્થાન પરિણામ પણ ગતિ, બંધ અને ભેદના કારણે જ થાય છે. આત્મા પણ માત્ર ઊર્ધ્વગતિ પરિણામવાળો હોવા છતાં પોતાના પરિણામનો અજ્ઞાત અને જાણવા છતાં તે પ્રમાણે પ્રયત્ન ન કરવાને કારણે આત્મા અનાદિથી પુદ્ગલના પરિણામરૂપે પરિણમવા વડે ૧૪ રાજલોકમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આથી પોતાના તથા પુદ્ગલના પરિણામોનું ભેદજ્ઞાન મેળવી અને પુદ્ગલના પરિણામરૂપે ન થવારૂપ અને માત્ર પોતાના જ્ઞાનાદિગુણ પરિણામો પ્રમાણે પરિણામવવારૂપ જીવન જીવવાનું, જે માત્ર મનુષ્યભવ સિવાય ક્યાંય શક્ય નથી. તો તે પ્રમાણે જીવન જીવવાનો દઢ સંકલ્પ કરી અને તે પ્રમાણે જીવવાનો જો પૂર્ણ પ્રયત્ન થાય તો જ મનુષ્યભવ સફળ થાય. સર્વજ્ઞ પરમાત્માએ જે મોક્ષ માર્ગ ફરમાવ્યો છે તે પણ આ પુગલના પરિણામોથી છૂટવા અને આત્માના પરિણામરૂપ થવાની આજ્ઞારૂપ ફરમાવ્યો છે. આથી આજ્ઞાયોગનિષેધ અને વિધાન રૂપજ છે. પુગલના પરિણામરૂપ સંસારયોગ ન થવા રૂપ, નિષેધાત્મક અને થયેલા તે પ્રમાણે સંસાર યોગમાંથી છૂટવા અને જ્ઞાનાદિ આત્મ સ્વભાવ પ્રમાણે થવા રૂપ વિધેયાત્મક આજ્ઞા યોગ છે. “મારૂવાળો ગોળો સંવે, विरूवरूवे फासे पडिसंवेदई" (આચારાંગ સૂત્ર-૯) જે પોતાનું સ્વરૂપ જાણતા નથી તે અજ્ઞાત જીવો અનેક સંકટ વિકટ સહન કરે છે અર્થાત્ ઢંકાયેલી કે ખુલ્લી જ્યાં જીવ દારિકાદિ વર્ગણા સાથે મિશ્ર (જોડાવારૂપ) જે યોનિ, નવા દેહરૂપ જન્મધારણ કરવારૂપ મહાપીડા ભોગવવારૂપ નવો જન્મ ન ધારણ કરવો, અને હવે બીજાને પણ તે જન્મ ન આપવા રૂપ જિનાજ્ઞા છે. जन्म जरामरणमाद्यैः पीडितमालोक्य विश्वमनगारा निःसङगत्वम् कृत्वा ध्यानार्थे भावना जग्मुः। (આચારાંગટીકા) • સાધુ ધર્મનો ઉપદેશ શા માટે? જન્મ-જરા, મરણાદિ પીડાથી પીડિત લોક જોઈને વીરપ્રભુએ તેને પીડા આપવામાં આપણે નિમિત્ત ન બનીએ અને આપણો આત્મા પણ સદા તે પીડાથી અજીવ તત્વ | 219
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy