SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ आत्मज्ञानफलं ध्यानमात्ज्ञानं च मुकित्दम् માત્મજ્ઞાનાય તન્નિત્ય, યત્ન: વાર્યો મહાત્મના શા (૨૮-૧૨) (અધ્યાત્મસાર) પરિણામ પામેલા આત્મજ્ઞાનનું ફળ આત્મધ્યાન, અને તેનું ફળ કર્મ-કષાયથી આત્માની મુકિત. માટે આત્માર્થીએ આત્મજ્ઞાન માટે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. “જે ધ્યાતાનિજ આત્મા, હોય સિદ્ધગુણ ખાણી.” જે પોતાના જ્ઞાનાદિ ગુણને પકડીને ધ્યાનમાં સ્થિર થાય તે જ સિદ્ધ ગુણખાણી અર્થાત્ ગુણની પૂર્ણતા તરફ તેનો વિકાસ થાય અને જે શુભ આલંબન વડે પ્રશસ્ત ધ્યાન કરે તેને પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બનશે. શ્રાવકોને વંદિતુ સુત્રમાં જે બદ્ધમિદિએહિં, ચઉહિં કસાહિં અપ્રસચૅહિં, રાગણ વદોસણ વા વંનિદે મંચ ગરિદામિરાજા | (વંદિતસૂત્ર) ઇંદ્રિયો વડે થયેલા અપ્રશસ્ત કષાયોનું પ્રતિક્રમણ (નિંદા ગહ) કહી છે, પણ પ્રશસ્તનું તેમને પ્રતિક્રમણ નથી. સાધુઓને પ્રશસ્ત કષાયોના અતિચારનું પ્રતિક્રમણ આવે. સાધુઓએ સર્વ સાવદ્ય યોગ – પ્રશસ્ત અને અપ્રશસ્ત કષાયો ન કરવાના પચ્ચખાણ જાવજજીવ લીધા છે, તેથી જ પરમાત્મા ગૌતમ સ્વામીને સતત કહેતા હતા કે- સમય ગોયમ મા પમાયએ- એમ સમયનો પણ તમારા પ્રત્યેના પ્રશસ્ત રાગરૂપ) પ્રમાદ ન કર. જયાં સુધી પ્રશસ્ત રાગ ન છૂટે ત્યાં સુધી તેમને પણ પ્રતિક્રમણ કરવું પડતું અને ત્યાં સુધી કેવલજ્ઞાન ન આવ્યું. જેવો પ્રશસ્ત રાગ છુટ્યો તેવું કેવલજ્ઞાન પ્રગટ થયું, તેવું પ્રતિક્રમણ આવશ્યક તેમને બંધ થયું. બાહ્ય વાતાવરણ અનુકૂળ, શાંતિમય, સુગંધમય તો ધ્યાન સારું થાય, આ માન્યતા ભ્રામક છે. જેને વાતાવરણમાંથી શાંતિ મળે તેને વાતાવરણ બદલાતા શાંતિ જાય. આથી ગમે તેવા વાતાવરણમાં જેનું ધ્યાન ખંડિત ન થાય તે આત્મધ્યાન સાચું કહેવાય. રૂપાતીત આત્મા કેવો છે?? રૂપાતીત આત્મદ્રવ્ય અસંખ્ય પ્રદેશી. દરેક પ્રદેશો અક્ષય, અખંડ. કોઈ પણ અજીવ તત્વ | 21
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy