SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ કરી શકશે. દેશવિરતિના શુદ્ધ પરિણામમાં હોય તો તે સર્વવિરતિની તીવ્ર ઝંખના પ્રગટાવે. મહત્તા પરિણામની છે. કામદેવ શ્રાવકને દેવે ઉપસર્ગો કર્યા તેની વાત પરમાત્માએ સાધુ-સાધ્વીઓને કહી કે દેવના ઉપસર્ગમાં શ્રાવક સમતાના પરિણામમાં રહી શકે તો પછી સાધુઓ ને સાધ્વીઓએ વિશેષથી પ્રયત્ન કરવાનો હોય. પ્રશસ્ત એટલે ધર્મના સંયોગ રૂપે જે વ્યવહાર મળ્યો - અનુષ્ઠાન મળ્યું છે અને જે ગુરુ તમને મોક્ષમાર્ગની સાધનામાં સહાયક બની રહ્યા છે તે સામયિક, પૌષધ વગેરે અનુષ્ઠાનો પ્રશસ્ત છે છતાં પણ તેને નિશ્ચયથી હેય જ કહ્યા કારણ વ્યવહાર નિશ્ચયથી તે હેય છે, એને પણ અંતે છોડીને નિરસંગ બનીને સ્વગુણમય બનશે ત્યારે આત્મા સ્વાત્માની અનુભૂતિ કરી શકશે. સંયોગમાં રહેવા છતાં સંયોગથી પર બની જાય ત્યારે જ તે સ્વાત્માની અનુભૂતિ કરી શકે છે અર્થ વ્યવહારથી સામાયિક પૌષધમાં હોવા છતાં જ્ઞાન પરિણામથી આત્માની સાથે આત્માને રહેવાનું છે. યોગી બનીને યોગાતીત બનવાનું છે. પાંચમાં ગુણસ્થાનકથી વિરતિની શરૂઆત છે. તમામે તમામ સંયોગથી આત્માએ વિરક્ત થઈ, પોતે વીતરાગ છે તેને સ્પર્શવું અને અનુભવવું એનું નામ વિરતિ છે. માટે તમામ સંયોગ નિશ્ચયથી હેય અને તે તે ગુણ સ્થાનક તેને ઉચિત વ્યવહારથી ઉપાદેય લાગવા જોઈએ. પુદ્ગલ દ્રવ્ય સિવાય અન્ય કોઈ દ્રવ્યનો સંયોગ આત્માને થવાનો નથી ને એ જ દ્રવ્ય પીડાનું કારણ છે માટે જ પુદ્ગલના ૧૦ પરિણામોની વિચારણા મૂકી છે. પ્રશસ્ત વ્યવહાર કયારે લાભકારી થાય?? પુગલનો સંગ એદ્રવ્ય સંસાર છે અને એના સ્વભાવ સાથે રુચિ અને અનુભવ રૂપે સંયોગ થવો તે ભાવ સંસાર છે. આત્માનું હિત શું? “સ્વ સ્વભાવ પ્રમાણે વર્તવું.” એ આત્માનું હિત છે. આપણે આત્માના સ્વભાવને છોડીને બીજાના સ્વભાવ પ્રમાણે બનવાનો પ્રયાસ કરીએ છીએ માટે પીડા થાય છે. બંધસ્વભાવ પુદ્ગલનો છે તે આપણામાં આવી ગયો છે. સામી વ્યક્તિ જો તમારી સાથે રાગ પૂર્વક વ્યવહાર કરશે તો જ તમને ગમશે પણ એ વિરાગી બની ગઈ તો તમને ગમશે નહીં, ત્યાં આદર બહુમાન નહીં આવે. સમગ્ર સંયોગો છે તે અશુભ હોય, શુભ હોય કે પ્રશસ્ત હોય, પણ હેય જ છે. જ્યાં સુધી વીતરાગ બનીને મોહ પર સંપૂર્ણ વિજય મેળવી શકતો નથી ત્યાં સુધી વ્યવહારમાં રહીને સંયોગ કરવો પડે છે. પ્રશસ્ત 150 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy