SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયો નીકળી ગયા તો પણ કર્મરજ જ્યાં સુધી છે ત્યાં સુધી બંધ પણ છે જ. માટે જ તમામ સંયોગથી છૂટવું એ જ ધર્મ છે. આત્માને સુખી બનાવવો હોય તો ત્યારે જ બની શકે જ્યારે એ સર્વ સંયોગથી છૂટે. મિથ્યાત્વના ઉદયના કારણે જેને આ વાત નથી સમજાતી તેઓ જ એમ કહે કે સંયોગો છોડ્યા વિના પણ રાગ-દ્વેષ ન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય પરંતુ સંસારનું મૂળુ જ સર્વ સંયોગો છે. જે આત્મા સર્વશની સર્વ વાતને માને અને એ પ્રમાણે કરવાની રુચિ ધરાવે અને શક્તિ પ્રમાણે કરે તો પણ સર્વજ્ઞની પૂર્ણ અજ્ઞાની અચિ પૂર્વકની અલ્પ પણ આચરણા પૂર્ણફળના કારણરૂપ બને અથવા તે તે ગુણની પૂર્ણતા સંબંધીનો અનુબંધ પડે છે. દષ્ટિની નિર્મળતા વિનાના પ્રબળ આચાર કયારેય ફળતા નથી. જો પૂર્ણ બહુમાન સર્વજ્ઞ પ્રત્યે પ્રગટ થયું હોય તો તેમની પ્રથમ જે આજ્ઞા હોય તે પહેલા કરીએ કે પછીની આજ્ઞા પ્રથમ કરીએ? આપણે શું કરીએ છીએ? મિથ્યાત્વને પરિહરવાની પ્રથમ આજ્ઞાને ગૌણ કરીએ છીએ અને સામાયિકાદિ આચાર પાલનની બીજી આજ્ઞા પાળીએ છીએ જેથી આવા આચાર પાલન દ્વારા મિથ્યાત્વની હાજરી હોવાના કારણે ધર્મ શુદ્ધ થતો નથી. સામાયિક સફળ ક્યારે થાય?? પ્રથમ આજ્ઞા તો મિથ્યાત્વના ત્યાગની છે, એ થયા પછીની આજ્ઞા સામાયિક, પૌષધ, સર્વવિરતિની છે. પ્રથમ ક્રમની આજ્ઞાને છોડીને બીજા ક્રમની સામાયિક વગેરેને હોંશે હોંશે સ્વીકારીએ છીએ જેથી તે કેટલે અંશે સફળ થાય? ન થાય. સમ્યકત્વ પૂર્વકની સામાયિક હોય ત્યાં સમતાના પરિણામની મહત્તા હોય, આંકડા કે પ્રભાવનાનું લક્ષ ન હોય. પરંતુ સમતાના પરિણામને અનુભવવા માટેનું લક્ષ ન હોય તો સામાયિક સફળ ન થાય. સામાયિક સફળ કરવા માટે સર્વજ્ઞની આજ્ઞા મુજબ વર્તન કરે. સામાયિક ઘરે ન કરતા તે ઉપાશ્રયે જઈને કરે. ઘરેથી ઉપાસે પહોંચતા પહોંચતા તો આત્માને એવા શુભ પરિણામથી ભાવિત કરતો કરતો આવે કે એને નિશ્ચય થઈ જાય કે આજે બે ઘડીનું સામાયિક આવતીકાલે સર્વ સંગના ત્યાગરૂપ સર્વ વિરતિરૂપ સામાયિક મળશે જ કારણ મોહ દૂર થવાથી કર્મની નિર્જરા થાય માટે પ્રભુએ પુણિયા શ્રાવકની સામાયિક વખાણી. કારણ દેશવિરતિમાં જેટલા પરિણામ થાય એની અનુભૂતિ એ કરી શકતા હતા માટે આજે એ દેશ વિરતીથી અનુભૂતિ કરે તો એ ભવિષ્યમાં સર્વ વિરતીથી અનુભૂતિ અજીવ તત્વ | 149
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy