SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ અટલ રહસ્ય જ આ છે. બંધ તત્ત્વ નવતત્ત્વમાં આવ્યું અને એ હેય છે તો પણ પુણ્યનો બંધ ઉપાદેય ગણાય છે માટે પુણ્ય બાંધવા માટે ધર્મ કરાય છે. પૂર્ણ ધર્મ નિર્જરા માટે જ કરાય. ધર્મથી ધર્મની જ પ્રાપ્તિ થાય, પુણ્ય બંધાઈ જાય, પણ પુણ્ય માટે ધર્મ કરવાનો નથી. બંધ પરિણામ એ પુદ્ગલનો છે માટે પુદ્ગલમય બનેલાને કોઈ સાથે ન બંધાય ત્યાં સુધી જીવને ચેન નહીં પડે, કાં બંધાઈ જઈએ ને કાં સ્નેહથી બીજાને બાંધી દઈએ. પુદ્ગલનો પરિણામ આપણા આત્મામાં પરિણામ પામી ગયો છે પરંતુ પરમાત્માનો મોક્ષ માર્ગ પુદ્ગલ સંગથી છૂટવાનો છે. બંધ પરિણામ એ યુગલનો પરિણામ છે: બંધ-જોડાણ-(સંશ્લેષણ) એકરૂપે થવું, લોક પર રહેલા અનંતા સિદ્ધો સાથે એકમેક રૂપે રહેવા છતાં કોઈ કોઈનાથી બંધાતા નથી તેમજ ત્યાં બધી પુદ્ગલ વર્ગણાઓ રહેવા છતાં એક પણ વર્ગણાને ગ્રહણ-બંધ કરતા નથી કારણ શુદ્ધ આત્માઓનો તે સ્વભાવ નથી. જ્યારે પરમાણુઓ ભેગા થાય ત્યારે તેઓ સ્કંધરૂપે જોડાઈ જાય. તેમનું જોડાવાનું કારણ દ્વિધક્ષત્થાત્ વધેડા (તત્ત્વાર્થ સુત્ર - પ-૩૨) પુદ્ગલમાં રહેલા સ્નિગ્ધ અને રુક્ષ સ્પર્શ ગુણથી પરસ્પર બંધ થાય. સ્નિગ્ધ સ્પર્શવાળા પરમાણુનો બીજા સ્નિગ્ધ સ્પર્શવાળા પરમાણુઓ સાથે કે રુક્ષ સ્પર્શવાળા પરમાણુઓના બીજા રુક્ષ પરમાણુ સાથે બંધ થશે પણ કયારે? નન્ય ગુનાના (તત્વાર્થસૂત્ર-પ-૩૩) જઘન્ય ગુણવાળા પુદ્ગલો (પરમાણુ) સાથે બંધ ન થાય પણ માત્રાવાળા પરમાણુ સાથે બંધ થાય. પુગલ બંધ ન થાય ૧ ગુણ સ્નિગ્ધ ૧ ગુણ સ્નિગ્ધ ૧ ગુણ સ્નિગ્ધ ૩ ગુણ સ્નિગ્ધ ૧ ગુણ રુક્ષ-૧ ગુણ રુક્ષ ૧ ગુણ રુક્ષ ૩ ગુણ રુક્ષ ૧ ગુણ સ્નિગ્ધ-૧ ગુણ રુક્ષ ૧ ગુણ સ્નિગ્ધ ૨ ગુણ રુક્ષ ૫ ગુણ રુક્ષ – ૫ ગુણ રુક્ષ ૫ ગુણ રુક્ષ ૭ ગુણ રુક્ષ ૫ ગુણ રુક્ષ - પ ગુણ સ્નિગ્ધ ૫ ગુણ રુક્ષ ૭ ગુણ સ્નિગ્ધ અજીવ તત્વ | 131 Iણ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy