SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર ક૬૫સત્ર રાખીને ગુરુની શુશ્રષા કરતે ઊભે છે. ઉપરના ભાગમાં સ્થાપનાચાર્યજી છે. ગુરુની સામે બે હાથની અહિ જેને હાથમાં ઉત્તરાસંગનો છેડો લઈ ધ્રુવસેન રાજા ઉપદેશ શ્રવણ કરતો બેઠો છે. ગુરુમહારાજ રાજાને શોક નિવારણ કરવાને ઉપદેશ આપતા લાગે છે. તેઓશ્રીના જમણા હાથમાં મુહપત્તિ છે અને ડાબો હાથ વરદમુદ્રાએ છે. ચિત્ર ૪૪ઃ ગણધર સુધર્માસ્વામી. ઈડરની પ્રતના છેલ્લા ૧૦૯માં પત્ર ઉપરથી. ચિત્રનું કદ ૨૪૧ ઈંચ છે. આખું એ ચિત્ર સેનાની શાહીથી ચીતરેલું છે. ચિત્રની મધ્યમાં ગણુધરદેવ શ્રીસુધર્માસ્વામી બેઠેલા છે. ગણધરદેવ શ્રીગૌતમસ્વામીનું ચિત્ર પણ આવી જ રીતનું મળી આવે છે. તે પછી આ ચિત્રને સુધર્માસ્વામીનું ક૯પવાનું શું કારણ? એ પ્રશ્ન અત્રે ઉપસ્થિત થઈ શકે તેમ છે. આ કલ્પના કરવાનું કારણ એ છે કે ભગવાન મહાવીરની પાટે ગણધરદેવ શ્રીગૌતમસ્વામી નહીં પણ શ્રીસુધર્માસ્વામી આવ્યા હતા. વળી દરેક અંગસૂત્રોમાં તેઓના શિષ્ય શ્રી જંબુસ્વામી પ્રશ્ન પછતા અને તેને યોગ્ય ઉત્તર તેઓ આપતા તેવી રીતના વર્ણને મળી આવે છે. તે પ્રસંગને અનુલક્ષીને આ ચિત્રમાં પણ તેઓશ્રીની જમણી બાજુએ બે હાથની અંજલિ જોડીને વિનયપૂર્વક ઊભેલા જંબુસ્વામીને ચિત્રકારે ચીતરેલા છે. તે ઉપરથી આ ચિત્ર શ્રીગૌતમસ્વામીનું નહીં પણ શ્રીસુધર્માસ્વામીનું જ છે એમ મેં કલ્પના કરી છે. વળી તેઓની આગળ આઠ પાંખડીવાળું સુવર્ણ કમલ ચીતરીને ચિત્રકારે સ્પષ્ટ કર્યું છે કે આ ચિત્ર તીર્થંકરનું નથી પણ ગણધરદેવનું છે. શ્રીસુધર્માસ્વામીના મસ્તક ઉપર ચંદરે બાંધેલે ચીતરેલો છે. તીર્થકરની અને ગણધરની સ્થાપત્ય મતિમાં અગર પ્રાચીન ચિત્રમાં તફાવત માત્ર એટલે જ રાખ્યો છે કે તીર્થકરની મતિઓ તથા ચિત્ર પદ્માસનસ્થ આભૂષણ સહિત અને બંને હાથ પલાંઠી ઉપર અને ગણધરદેવની મૂતિઓ તથા ચિત્ર પદ્માસનસ્થ, આભૂષણ વગર સાધુવેશમાં અને જમણે હાથ હૃદય સમ્મુખ કેટલીક વખત માળા સહિત તથા ડાબો હાથ ખેળા ઉપર રાખતા. આ પ્રમાણેની આકૃતિઓ બંનેને જુદા પાડવા માટે નક્કી કરેલી હોય તેમ લાગે છે. આ ચિત્રમાં ડાબી બાજુએ બે હસ્તની અંજલિજોડીને હાથમાં ઉત્તરાસંગને છેડો રાખીને વિનયપૂર્વક ઉભેલી પુરુષાકૃતિઓ ચીતરીને સુવર્ણકમલ ઉપર ઇંદ્રની રજૂઆત કરી હોય એમ લાગે છે. ઇંદ્રની તથા જંબુસ્વામીની આકૃતિના ચિત્રોનું રેખાંકન કેઈઅલોકિક પ્રકારનું વિશિષ્ટ કલામય છે ચિત્ર ૪૫ઃ પાશ્વનાથને લેચ. નવાબ ૧. પરથી આ ચિત્ર અત્રે રજુ કરેલું છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૫૫નું વર્ણન. આ ચિત્રમાં પાર્શ્વનાથ પ્રભુના શરીરને વર્ણ લીલે અને ઇંદ્ર બે હાથવાળો ઊભેલે છે. ચિત્ર ૪૬ઃ મેરુ ઉપર જન્માભિષેક, વર્ણન માટે જુઓ ચિત્ર ૨૪નું આ ચિત્રનું જ વર્ણન. ચિત્ર ૪૭ઃ શમણુસંધ. આ ચિત્ર પણ નવાબ ૧. પરથી અત્રે રજૂ કરેલું છે. ચિત્રમાં ઉપર અને નીચે એકેક સાધુ (ગુરુ) પાટ ઉપર બેસીને સામે બેઠેલા બેબે શિને ઉપદેશ આપતા દેખાય છે. આ ચિત્ર ૪૮ઃ જૈન સાધુ અને શ્રાવક. ઉપરોક્ત પ્રતમાંના ક૫સૂત્રનું છેલ્લું ચિત્ર. આ પત્ર ઉપર સંવત, મિતિ સાથે ‘શ્રીપત્તને મારા પિતાજી શ્રી વિઠ્ય વિજ્ઞિિનrશે લખેલું છે. આ
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy