SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર કલ્પસૂત્ર પાછલી રાત્રિએ કાળધર્મ પામ્યા, તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા. - પ્રભુ મહાવીરની મૂર્તિ જે પ્રમાણે ચિત્ર ન. ૧૨માં વર્ણવી ગયા તે પ્રમાણેનાં આભૂષણે સહિત ચીતરેલી છે. નિર્વાણુ-કલ્યાણકનો પ્રસંગ દર્શાવવા ખાતર સિદ્ધશિલાની આંકૃતિ અને બંને બાજુએ એકેક ઝાડ વધારામાં ચીતરેલાં છે. આ ચિત્રની પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગની છે. સિદ્ધશિલાનો રંગ સફેદ છે. આજુબાજુનાં બને ઝાડનાં પાંદડાં લીલા રંગનાં છે. આ ઝાડનાં પાંદડાં ચિત્રકારે એટલાં બધાં બારીક અને સુકોમળ ચીતરેલાં છે કે જેને સંપૂર્ણ ખ્યાલ આ હાફટન ચિત્રથી કોઈપણ રીતે આવી શકે નહિ. અમદાવાદમાં લાલ દરવાજે આવેલી સીદીસૈયદની મસ્જિદની દીવાલમાં કોતરેલી સુંદર સ્થાપત્ય-જાળીઓની સુરચના મૂળ આવા કેઈ પ્રાચીન ચિત્રના . અનુકરણમાંથી સરજાએલી હોય એમ મારું માનવું છે. સ્થાપત્યકામની એ દીર્ઘકાય જાળી કરતાં બે અગર અઢી ઇંચની ટકી જગ્યામાંથી ફક્ત અરધા ઈંચ જેટલી જગ્યામાં ઝાડની પાંદડીએ પાંદડી ગણી શકાય એવી બારીક ઝાડની કલાનું સર્જન કરનાર ગુજરાતના પ્રાચીન ચિત્રકારે આજે પણ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે. , ચિત્ર ૧૬ઃ પ્રભુ મહાવીરનું સમવસરણ. ઉપર્યુક્ત પ્રતમાંથી જ. તીર્થકરને કેવજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી દેવે સમવસરણની રચના કરે છે. આ સમવસરણની બે જાતની રચનાઓ આપણને પ્રાચીન ચિત્રોમાં મળી આવે છે. એક જાતની રચના ગોળાકૃતિમાં હોય છે અને બીજી જાતની ચતુષ્કોણ-ચાર ખૂણાવાળી-ચોખંડી હોય છે. આ ચિત્ર ગળાકૃતિ વાળા સમવસરણનું છે. સમવસરણની મધ્યમાં મહાવીરની મૂર્તિ . તથા આજુબાજુ ફરતા ત્રણ ગઢ છે. મસ્તકની પાછળના ભાગમાં અશોકવૃક્ષને બદલે બે બાજુ લટકતાં કમલ જેવી આકૃતિ ચીતરેલી છે. ગઢની ચારે દિશાએ એકેક દરવાજો તથા ગઢની બહાર ચારે ખૂણામાં એકેક વાપિકા-વાવ-ચીતરેલી છે. પ્રસંગોપાત સમવસરણનું ટુંક વર્ણન અત્રે આપવું મને યોગ્ય લાગે છે. - પ્રથમ વાયુકુમાર દેવે યોજન પ્રમાણ પૃથ્વી ઉપરથી કચરો, ઘાસ વગેરે દૂર કરીને તે શુદ્ધ કરે છે. પછીથી મેઘકુમાર દે સુગંધી જળની વૃષ્ટિ કરી એ પૃથ્વીનું સિંચન કરે છે. તીર્થંકરનાં ચરણેને પોતાના મસ્તકે ચડાવનાર આ પૃથ્વીની જાણે પૂજા કરતા હોય તેમ વ્યંતરો છએ ઋતુના પચરંગી, સુગંધી, અધમુખ ડીટવાળાં પુષ્પની જાનુ પર્યત વૃષ્ટિ કરે છે. ત્યાર બાદ વાણવ્યંતર દેવે સુવર્ણ, મણિ અને માણેક વડે પૃથ્વીતલ બાંધે છે, અર્થાત્ એક યોજન પર્વતની આ પૃથ્વી ઉપર પીઠબંધ કરે છે. ચારે દિશાઓમાં તેઓ મનહર તોરણ બાંધે છે. વિશેષમાં ભવ્ય જનોને દેશના સાંભળવા માટે બોલાવતું હોય તેમ તે ની ઉપર રહેલે વજાને સમૂહ રચીને તેઓ સમવસરણને શોભાવે-સુશોભિત કરે છે. તેરણોની નીચે પૃથ્વીની પીઠ ઉપર આલેખાએલાં આઠ મંગળ મંગળતામાં ઉમેરો કરે છે. જે વિસ્તૃત વર્ણન માટે એ-૧ આવશયક નિર્યુક્તિ ૨ ત્રિવડી શલાકા, શરિત્ર. ૬ સમવસરણ પ્રકરણ અને ૪ પ્રકાશ સર્ગ 30 SLI, 'Jain Iconography (II Samavasarana)' by D. R. Bhandarkar, M. A-in India a Antiguary, Vol XL pp. 125 to 130 & 153 to 161. 1811,
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy