SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ પરંતુ દીક્ષા-કલ્યાણકના પ્રસંગમાં પંચમુણિ લેચના પ્રસંગને બદલે આ ચિત્રમાં જેન સાધુઓનું દીક્ષિત અવસ્થાનું ચિત્ર દોરેલું છે. આ ચિત્રની અંદર મધ્યમાં છતમાં બાંધેલા ચંદરવાની નીચે ભદ્રાસન ઉપર બેઠેલી આકૃતિ આચાર્ય મહારાજની છે. ઘણું કરીને તે આ પ્રત લખાવવાનો ઉપદેશ આપનાર આચાર્ય મહારાજની હશે. તેઓને જમણી બાજુને એક ખભે ઉઘાડો છે. જમણા હાથમાં મુહપત્તિ રાખીને તથા ડાબે હાથ વરદ મુદ્રામાં રાખીને સામે હાથમાં તાડપત્રનું પાનું ૫કડીને બેઠેલા શિષ્ય-સાધુને કાંઈ સમજાવતા હોય એમ લાગે છે. ગુરુ અને શિષ્ય બંનેની વચમાં સહેજ ઉપરના ભાગમાં સ્થા૫નાચાર્યની રજૂઆત ચિત્રકારે કરેલી છે. ભદ્રાસનની પાછળ એક શિષ્ય કપડાના ટુકડાથી ગુરુની શુશ્રુષા કરતે દેખાય છે. ચિત્ર ૧૪ઃ પ્રભુ શ્રી મહાવીરને જન્મ. ઉપર્યુક્ત પ્રતમાંથી. જે વખતે ગ્રહ ઉરચ સ્થાનમાં વર્તતા હતા, ચંદ્રને ઉત્તમ છે. પ્રાપ્ત થયા હતા. સવંત્ર સૌમ્યભાવ, શાંતિ અને પ્રકાશ ખીલી રહ્યાં હતાં, દિશાઓમાં અંધકારનું નામનિશાન પણ ન હતું, ઉકાપાત, રજોવૃષ્ટિ, ધરતીકંપ કે દિગદાહ જેવા ઉપદ્રને છેક અભાવ વર્તતા હતા, દિશાઓના અંત પર્યત વિશુદ્ધિ અને નિર્મળતા પથરાએલી હતી, જે વખતે સર્વ પક્ષીઓ પોતાના કલરવ વડે જયજય શબ્દને ઉચ્ચાર કરી રહ્યાં હતાં, દક્ષિણ દિશાને સુગંધી શીતળ પવન પૃથ્વીને મંદમંદપણે સ્પર્શ કરતો વિશ્વનાં પ્રાણીઓને સુખ-શાંતિ ઉપજાવી રહ્યો હતો, પૃથ્વી પણ સર્વ પ્ર- કારનાં ધાન્યાદિથી ઉભરાઈ રહી હતી અને જે વખતે સુકાળ, આરોગ્ય વગેરે અનુકુળ સંગથી દેશવાસી લોકોનાં હૈયાં હર્ષના હિંડોળે ઝુલી રહ્યાં હતાં, તેમજ વસંતોત્સવાદિની ક્રીડા દેશભરમાં ચાલી રહી હતી, તે વખતે, મધ્યરાત્રિને વિષે, ઉત્તરાફાગુની નક્ષત્ર સાથે ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ આધારહિતપણે આરોગ્યવાન પુત્રને જન્મ આપ્યો. ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી વિવિધ જાતિના કુલેથી આચ્છાદિત કરેલી સુગંધીદાર શા ઉપર ત્રિશલા ક્ષેત્રિયાણ સૂતાં છે. જમણા હાથે પ્રભુ મહાવીરને બાળક રૂપે ૫કડીને તેમના તરફ-સન્મુખ જઈ રહેલાં છે. તેમના જમણા હાથ નીચે તકીઓ છે. તેમનું સારું ચે શરીર વસ્ત્રાભૂષણથી સુસજિજત છે. તેમના ઉત્તરીય વસ્ત્ર-સાડીમાં હંસ પક્ષીની સુંદર ભાત ચીતરેલી છે. તેમને પોશાક ચૌદમા સૈકાના શ્રીમંત વૈભવશાળી કુટુંબની સ્ત્રીઓના પહેરવેશને સુંદરમાં સુંદર ખ્યાલ આપે છે. પલંગની નીચે પાણીની ઝારી તથા પલંગમાંથી ઊતરતી વખતે પગ મૂકવા માટે પાદપીઠ-પગ મૂકવાને બજેઠ-પણ ચીતરેલાં છે. ઉપરના ભાગની છતમાં ચંદરે પણ બાંધેલો છે. ચિત્ર ૧૫ઃ પ્રભુ મહાવીરનું નિર્વાણ. ઉપર્યુક્ત પ્રતમાંથી જ. શ્રમણ ભગવાન મહાવીરે જે વર્ષાકાળમાં મધ્યમ અપાપાપુરીને વિષે હસ્તિપાલ રાજાના કારકુનેની સભામાં છેલ્લું ચોમાસું વર્ષાઋતુમાં રહેવા માટે કર્યું, તે ચોમાસાને ચોથો મહિનો, વર્ષાકાળનું સાતમું ૫ખવાડિયું એટલે, કે કાતિક માસનું (ગુજરાતી આ માસનું) કૃષ્ણ પખવાડિયું, તે કાતિક માસના કૃષ્ણ પખવાડિયાના પંદરમે દિવસે (ગુજરાતી આસો માસની અમાસે
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy