SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ મિ. બ્રાઉન જણાવે છે તેમ આ ચિત્ર શકેંદ્રનું નહિ પણ બ્રહશાંતિ યક્ષનું છે. આ ચિત્રમાં બ્રહ્મશાંતિ ચક્ષને મકટ અને જટા સહિત ચીતરે છે. વળી તે દેખાવ માત્રથી ભયંકર લાગે છે. તેના ઉપરના જમણા હાથમાં કમંડલુ છે અને તેને ડાબે હાથ પ્રવચનમદ્રાએ રાખેલે છે. તેના શરીરને વર્ણ પીળો છે, ગળામાં જનોઈ નાખેલી છે અને ખભે ગુલાબી રંગનું લીલા રંગના ઉપર જમણ પગમાં છેડાવાળું ઉત્તરા સંગ નાખેલું છે. જમણા પગ નીચે વાહન તરીકે હાથી મૂકેલ છે અને ભદ્રાસન પર પાદુકા સહિત બેઠેલી છે. નિર્વાણકલિકાના વર્ણનમાં અને આ ચિત્રમાં ફેરફાર માત્ર એ છે કે તેના ડાબા હાથમાં કમંડલુ જોઈએ તેના બદલે ડાબો હાથ પ્રવચન મુદ્રામાં છે અને જમણા હાથમાં અક્ષસૂત્ર જોઈએ તેને બદલે કમંડલુ છે. તેને ડાબા હાથ પ્રવચનમુદ્રાએ રાખવાનું કારણ અત્રે ચિત્રકારે તેની રજૂઆત પ્રવચનના અધિષ્ઠાયક તરીકે કરી . હશે એમ લાગે છે. વળી વાહન તરીકે હાથીની રજૂઆત તેણે વધારામાં કરી છે, જે ઉપરથી જ મિ. બ્રાઉને આ ચિત્રને શક્રેન્દ્રના ચિત્ર તરીકે ઓળખાવવામાં ભૂલ કરી હોય એમ લાગે છે. કપનાને ગમે તેટલી આગળ વધારીએ તે પણ તેનાં આયુધોની રચના, તેનો દેખાવમાત્રથી જ જણાત જટા, મુકુટ તથા દાઢી સહિતને ભયાનક ચહેરે આપણને આ ચિત્રને શક્રેન્દ્રના ચિત્ર તરીકે માનવા કઈ રીતે પ્રેરણા કરતો નથી; કારણકે કેન્દ્રને હમેશાં દેખાવમાત્રથી સૌમ્ય, આનંદી, અને દાઢી, જટા તથા યજ્ઞોપવીત-જનોઈ વગરને ગુજરાતના પ્રાચીન ચિત્રકારોએ ચીતરેલ છે. ' , અમદાવાદની ઉજમફઈની ધર્મશાળાના જ્ઞાન ભંડારમાંની તાડપત્રની “કપસૂત્ર અને કાલકકથા'ની હસ્તલિખિત પ્રત ઉપરથી ચિત્ર ૧૨ થી ૧૬, ૨૧, ૨૩થી ૨૬ અને ૪૬ લેવામાં આવ્યાં છે. આ પ્રત વિ. સં. ૯૨૭ના અષાઢ સુદિ ૧૧ને બુધવારના દિવસે લખાએલી પ્રાચીન પ્રત ઉપરથી વિ. સં. ૧૪ર૭મકલ કરાએલી છે. Plate IV ચિત્ર ૧૨ ઉપર્યુક્ત પ્રતમાંથી જ. “પ્રભુ શ્રીમહાવીરનું ચ્યવન”.પુષેિત્તરવિમાનમાંથી વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી વ્યા–ચવીને શ્રી મહાવીર ભગવાન બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં કોડાલગેત્રી ઋષભદત્ત બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદા જે જાલંધરગેત્રી, છે તેની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. આષાઢ સુદિ ૬ના દિવસની મધ્યરાત્રીના સમયે અને ઉત્તરાફાલગુની નક્ષત્રને ચંદ્રને યોગ પ્રાપ્ત થયો હતો તે વખતે પ્રભુ દિવ્ય આહાર, દિવ્ય ભવ અને દિવ્ય શરીરનો ત્યાગ કરી ગર્ભમાં આવ્યા. ચિત્રમાં પબાસન ઉપર પ્રભુ મહાવીરની મૂર્તિ બિરાજમાન કરેલી છે. આજે જેવી રીતે જિનમંદિરમાં મૂતિને આભૂષણેથી શણગારવામાં આવે છે તેવી જ રીતે ચિત્રમાં પણ મૃતિના મોથે મુકુટ, બે કાનમાં કુંડલ, ગરદનમાં કઠે, હૃદય ઉપર મોતીને હાર, બંને હાથની કેણીના ઉપરના ભાગમાં બાજુબંધ, બંને કાંડાં ઉપર બે કડાં, હાથની હથેલીઓ પલાંઠી ઉપર મૂકીને ભેગી છે : < : C ' = ८ तथा ब्रह्मशान्ति पिङ्गवणे दंष्ट्राकरालं जटामुकुटमण्डितं पादुकारूढं भद्रासनस्थितमुपवीतालंकृतस्कन्धं चतुर्भुजं अक्षसूत्रदण्डकान्वितदक्षिणपाणि कुण्डिकाछत्रालंकृतवामपाणि चेति। – નિવનસ્ટિા ' પત્ર ૨૮.
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy