SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ કુંડગામ નગરમાં કાડાલગેાત્રના રિષભદત્ત માહણુની ભારજા-પત્ની જાલંધરગાત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે શ્રમણ ભગવાન મહાવીરને ઉપજેલા જૂએ છે. ભગવાનને જોઇને તે હરખ્યા-રાજી થયા, યેા-તુષ્ટમાન થયા, ચિત્તમાં આનંદ પામ્યા, બહુ રાજી થયા, પરમ આનંદ પામ્યા, મનમાં પ્રીતિવાળા થયા, પરમ સૌમનસ્યને તેણે મેળવ્યું અને હરખને લીધે તેનું હૃદય ધડકતું બની ગયું તથા મેઘની ધારાઓથી છંટાએલ કદંખના સુગંધી ફૂલની પેઠે તેનાં રૂંવેરૂંવાં ખડાં થઈ ગયાં, તેનાં ઉત્તમ કમલ જેવાં નેત્રા અને મુખ વિકસિત થયાં-ખિલી ગયાં, તેણે પહેરેલાં ઉત્તમ કડાં, મહેરખાં, બાજુબંધ, મુગટ, કુંડલ અને હારથી સુÀાભિત છાતી, એ બધું તેને થએલ હરખને લીધે હલુંહતું થઈ રહ્યું, લાંબુ લટકતું અને વારેવારે હલતું ઝૂમણું તથા બીજાં પણ એવાં જ આભૂષણ તેણે પહેરેલાં હતાં એવા તે શક્ર ઈન્દ્ર ભગવંતને જોતાં જ આદર વિનય સાથે એકદમ ઝપાટાઅંધ પેાતાના સિંહાસન ઉપરથી ઊભે થાય છે, તે સિંહાસન ઉપરથી ઊભા થઇ પેાતાના પાદપીઠ ઊપર નીચે ઊતરે છે, પાપીઠ ઊપર નીચે ઊતરી તે, મરકત અને ઉત્તમ રિષ્ટ તથા. અંજન નામના રત્નાએ જડેલી અને ચળકતાં મણિરત્નાથી સુશેાભિત એવી પેાતાની મેાજડીએ ત્યાં જ પાદપીઠ પાસે ઊતારી નાખે છે, મેાજડીએને ઊતારી નાખી તે પેાતાના ખભા ઉપર પ્રેસને જનાઈની પેઠે ગાઠવીને એટલે એકવડું ઉત્તરાસંગ કરે છે, એ રીતે એકવડું ઉત્તરાર્સંગ કરીને તેણે અંજલિ કરવા સાથે પેાતાના બે હાથ જોડયા અને એ રીતે તે તીર્થંકર ભગવંતની ખાજી લક્ષ્ય રાખી સાત આઠ પગલાં તેમની સામે જાય છે, સામે જઇને તે ડાબેા ઢીંચણ ઊંચા કરે છે, ડાબે ઢીંચણ ઊંચા કરીને તે જમણા ઢીંચણને ભાંતળ ઊપર વાળી દે છે, પછી માથાને ત્રણવાર ભેાંયતળ ઊપર લગાડી પછી તે થાડા ટટ્ટાર બેસે છે. એ રીતે ટટ્ટાર બેસીને કડાં અને અહેરખાંને લીધે ચપોચપ થઈ ગએલી પેાતાની અને ભુજાઓને ભેગી કરે છે. એ રીતે પેાતાની બન્ને ભુજાઓને લેગી કરીને તથા દેશ નખ એકબીજાને અડે એ રીતે બન્ને હથેળીઓને જોડી માથું નમાવી માથામાં-મસ્તકે અંજલિ કરીને તે આ પ્રમાણે છેઃ ૧૬ અરહંત ભગવંતને નમસ્કાર થા, ૧ તીર્થના પ્રારંભ કરનારા એવા તીર્થંકરેશને, પેાતાની જ મેળે ખેાધ પામનારા સ્વયંસંબુદ્ધોને, ૨ પુરુષામાં ઉત્તમ અને પુરુષામાં સિંહસમાન, પુરુષામાં ઉત્તમ કમળસમાન અને પુરુષામાં ઉત્તમ ગંધહસ્તી જેવા, ૩ સર્વલેાકમાં ઉત્તમ, સર્વલેાકના નાથ, સર્વલેાકનું હિત કરનારા, સર્વલેાકમાં દીવા સમાન અને સર્વલાકમાં પ્રકાશ પહેાંચાડનારા, ૪ અજ્ઞાનથી અંધ બનેલા લેાકાને આંખ સમાન શાસ્ત્રની રચના કરનારા, એવા જ લેાકેાને માર્ગ બતાવનારા, શરણુ આપનારા અને જીવનને આપનારા એટલે કદી મરવું ન પડે એવા જીવનને-મુક્તિને-દેનારા તથા એધિબીજને-સમક્તિને આપનારા, ૫ ધર્મને દેનારા, ધર્મના ઉપદેશ કરનારા, ધર્મના નાયક, ધર્મરૂપ રથને ચલવનારા સારથી સમાન, અને ચાર છેડાવાળા ધર્મરૂપ જગતના ઉત્તમ ચક્રવર્તી, ૬ અજ્ઞાનથી ડુબતા લેાકેાને દ્વીપ-બેટ-સમાન, રક્ષણ આપનારા, શરણુ દેનારા, આધાર સમાન અને
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy