SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ पुण्यं यशः समुदयः प्रभुता महत्त्वं सौभाग्यधीविनयशर्ममनोरथाश्च । वर्धन्त एव जिननायक ते प्रसादात् तद्वर्धमानयुगसंपुटमादधानः ॥ ३ ॥ - ભાવાર્થ હે જિનેશ્વર દેવ! આપની કૃપાથી પય, યશ, ઉદય, પ્રભુતા અને મહત્ત્વ તથા સૌભાગ્ય, બુદ્ધિ, વિનય અને કલ્યાણની કામનાઓ વધે છે; માટે વર્ધમાન સંપુટકને આલેખું છું.' विश्वत्रये च स्वकुले जिनेशो व्याख्यायते श्रीकलशायमानः। अतोऽत्र पूर्ण कलशं लिखित्वा जिनार्चनाकर्म कृतार्थयामः ॥४॥ ભાવાર્થઃ ત્રણ જગતમાં તેમ જ પિતાના વંશમાં ભગવાન્ કલશસમાન છે, માટે પૂર્ણકલશને આલેખીને જિનેશ્વરની પૂજાને સફળ કરીએ છીએ. अन्तः परमज्ञानं याति जिनाधिनाथहृदयम्य । तच्छ्रीवत्सव्याजात्प्रकटीभूतं बहिर्वन्दे ॥ ५ ॥ ભાવાર્થ: શ્રીવત્સના બહાનાથી પ્રગટ થએલ, જિનેશ્વર દેવના હૃદયમાં જે પરમજ્ઞાન શેભે છે તેને વંદન કરું છું. त्वद्वन्ध्यपश्वशरकेतनभावक्लुप्तं कर्तुं मुधा भुवननाथ निजापराधम् । सेवां तनोति पुरतस्तव मीनयुग्मं श्राद्धः पुरो विलिखितोरुनिजाङ्गयुक्त्या ॥६॥ ભાવાર્થ: હે જગતપ્રભુ! શ્રાવકેએ પોતાના અંગની-અંગુલિની યુતિથી આલેખેલ મીન- ” યુગલ, આપનાથી નિષ્ફળ થએલ કામદેવના વિજરૂપે કલ્પાએલ હેઈપિતાના અપરાધને ફેકટ કરવા માટે આપની સેવા કરે છે. स्वस्ति भूगगननागविष्टपेषूदितं जिनवरोदये क्षणात् । સ્વસ્તિકં તનમનનો બિનયાત્તિો ગુજાનૈર્વિઢિચત્તે . ૭ | ભાવાર્થ જિનેશ્વર દેવના જન્મ સમયે એક ક્ષણવારમાં મત્યેક, સ્વર્ગલેક અને પાતાલલોકમાં સ્વસ્તિ શાંતિ-સુખ ઉત્પન્ન થયું હતું. એ માટે જ્ઞાની મનુષ્યો જિનેશ્વર ભગવાનની આગળ સ્વસ્તિકને આલેખે છે. ' त्वत्सेवकानां जिननाथ दिक्षु सर्वासु सर्वे निधयः स्फुरन्ति । ( अतश्चतुर्धा नवकोणनन्द्यावर्तः सतां वर्तयतां सुखानि ॥ ८ ॥ ભાવાર્થઃ હે જિનેશ્વર ! તારા સેવકોને સવ દિશાઓમાં નિધિઓ કુરાયમાન થાય છે– પ્રાપ્ત થાય છે, તેથી કરીને ચારે બાજુ નવ ખૂણાવાળે નન્દાવર્ત સજજનેને સુખ કરો. ઉપર પ્રમાણેના વણનવાળા અષ્ટમાંગલિક, મહા માંગલિક અને કલ્યાણની પરંપરાના હેતુભૂત હોવાથી જિનમંદિરમાં પાષાણ ઉપર કેરેલા, લાકડાના પાટલાઓમાં કતરેલા, સુખડની પેટીઓ ઉપર કતરેલા, શ્રાવિકાઓ જિનમંદિરે લઈ જવા માટે અક્ષત અને બદામ જેમાં મૂકે છે તે ચાંદીની દાબડીઓ ઉપર, સાધુઓને પુસ્તકોની નીચે રાખવાની પાટલીએ ઉપર ચીતરેલા - તથા રેશમથી અને કોઈ કોઈ દાખલાઓમાં વળી સાચા મોતીથી પણ ભરેલા મળી આવે છે. - આ પ્રતનાં ચિત્રોમાં રેખાઓ વધુ બારીક થાય છે. પરંપરાની જાડી વેગવાન લીટીઓનું સામર્થ્ય તેમાં નથી, પણ ચિત્રકાર ઝીણવટનો લાભ લેવા ઉત્સુક હોવાથી વિગતે વધારે ચીતરવા
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy