SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] ૯૩ ૬. સંભિન્નશ્રોત : કોઇપણ એક ઇન્દ્રિયથી સાંભળી શકવાની લબ્ધિ. ૭. અવધિજ્ઞાની : રૂપપ્રદ પદાર્થોને ઇંદ્રિયની સહાય વિના જાણવાની લબ્ધિ. ૮. મન:પર્યાવજ્ઞાની : ગર્ભમાં રહેલા પાંચ ઇન્દ્રિયના મનોગત ભાવ જાણવાની લબ્ધિ. ૯. વિપુલમતિ : અઢી દ્વીપમાં વિશેષણે મનોભાવ જાણવાની લબ્ધિ. ૧૦. ચારણલબ્ધિ : આકાશમાં ગમન કરવાની લબ્ધિ. ૧૧. આશિવિષ ઃ શાપ આપે તેવું થવાની લબ્ધિ. ૧૨. કેવળજ્ઞાની : ત્રણ કાલ અને ત્રણેય લોકના સર્વ ભાવોને જાણવાની લબ્ધિ. ૧૩. ગણધરપદ : ગણધરનું પદ અપાવનાર લબ્ધિ. ૧૪. પૂર્વધર : ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાની લબ્ધિ. ૧૫. અરિહંતપદ : અરિહંતપદ પ્રાપ્ત કરાવનાર લબ્ધિ. ૧૬. ચક્રવર્તીપદ : ચક્રવર્તીપદ પ્રાપ્ત કરાવનાર લબ્ધિ. ૧૭. બલદેવપદ : શક્તિશાળી પદ અપાવનાર લબ્ધિ. [ ૭૩૭ ૧૮. વાસુદેવપદ : વાસુદેવનું પદ અપાવનાર લબ્ધિ. ૧૯. અમૃતસવ : સાકર અને ઘી-મિશ્રિત ખીરના જેવી મધુર વાણીની લબ્ધિ. ૨૦. કોષ્ટબુદ્ધિ : ભણેલું ભૂલે નહીં તેવી કુષ્ટક બુદ્ધિની લબ્ધિ. ૨૧. પદાનુસારિણી : એક પદ બોલતાંની સાથે ઘણું આવડી જાય તેવી લબ્ધિ. ૨૨. બીજબુદ્ધિ : એક પદં ભણીને બીજા ઘણા અર્થ જાણવાની લબ્ધિ. ૨૩. તેજોલેસ્યા : શરીરમાં દાહ ઉપજાવનાર લબ્ધિ. ૨૪. આહારક : શંકા પેદા થાય ત્યારે એના સમાધાન માટે ભગવાન પાસે પહોંચવાની લબ્ધિ. ૨૫. શીતલેસ્યા: શરીરમાં દાહ પેદા કરનારી તેજોલેસ્યાને ઠારે એવી શીતલબ્ધિ. ૨૬. વૈક્રિય : નાનું-મોટું રૂપ ધારણ કરવાની લબ્ધિ. ૨૭. અક્ષીણમહાનસી : પોતાના અલ્પ આહારથી લાખ માણસને જમાડવાની લબ્ધિ. અષ્ટાપદની યાત્રાવેળાએ ગૌતમસ્વામીએ થોડી ખીરમાંથી ૧૫૦૩ તપસ્વીઓને પારણું કરાવ્યું હતું. ૨૮. પુલાક : સંઘ ઇત્યાદિના કલ્યાણ માટે ચક્રવર્તીના લશ્કરને મહાત કરવાની લબ્ધિ. યોગબળે ગૌતમસ્વામીએ અષ્ટ મહાસિદ્ધિ અને અઠ્ઠાવીસ લબ્ધિઓ પ્રાપ્ત કરી હોવા છતાં તેઓ મોહ-માયાની મમતાથી પર હતા. જીવ માત્રનું કલ્યાણ કરવાની તેમની નેમ હતી. એમનો
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy