SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ પં. ચાણક્યજીનો [ પંચમ કેતરાવનાર ) એક જ ધર્મના હતા. અને આગળ ઉપર આપણે સાબિત કરીશું કે સ્તંભ લેખે તથા સર્વ ખડક લેખના કર્તા, પિતે જૈન ધર્મી જ હતાં. એટલે સ્વતઃ એ પણ સિદ્ધ થઈ શકશે-જશે કે કૌટિલ્ય પણ ધર્મ જૈન જ હતે. અથવા તે પ્રકરણ સુધી હજી નથી પહોંચ્યા, ત્યાં લગી એમ માને છે, તે સર્વે શિલાલેખો બૌદ્ધ ધર્મ અશોકના જ છે, તે પણ ચાણક્યને બૌદ્ધ ધર્મ માનો રહે છે, નહીં કે વૈદક મતાનુયાયી. (2) વળી એક લેખક૨૯ જણાવે છે કેTo put it in the words of Dr Charpentier in the second Upanga the Rayapassniya, the interesting relations of which to the Payasisutta of Dignikaya were detected and dealt with by Professor Leumann, that Brahamans guilty of certain crimes should be stigmatised ( should be branded upon their foreheads ). This coincides with Kautilya p. 220. But this rule does not occur in Manu and the later law-books, where corporal punish--ments on Brahamans are not permissible:ડૉકટર કાર્પેન્ટીઅરના પિતાના શબ્દમાં જણાવવાનું કે, દિનકાયમના પયાસીસુત્ત સાથે મોરંજક રીતે બંધબેસતા કેટલાક સંબંધે, રાયપણી નામના બીજા જન ઉપાંગસૂત્રના ગ્રંથમાં વર્ણવાયેલા ર્ડો. લૈંયમાને શોધી કાઢયા છે, અને તે ઉપર વિવરણ પણ કર્યું છે, કે, બ્રાહ્મણ જે અમુક ગુન્હા માટે દોષિત ઠરે તે તેમને ડામ દેવાની શિક્ષા થતી (તેઓનાં કપાળે ડામ દેવામાં આવતા ). આ હકીકત કૌટિલ્ય ના. ગ્રંથમાં (ર૯) જૈનીઝમ ઇન નથને ઇન્ડીઆ પૃ. 220 ઉપરના કથનને મળતાં આવે છે. પણ આવો નિયમ મનુના કે તે પછીના કોઈ પણ કાયદા-ગ્રંથમાં માલુમ પડતું નથી. તેમાં તે બ્રાહ્મણોને શરીર સંબંધી શિક્ષા કરવાનો નિષેધ જ કરેલ છે. " એટલે તે લેખક મહાશયનું એમ કહેવું થાય છે કે, બૌદ્ધગ્રંથ દિગ્નિકાયમાં જે પ્રમાણે જણાવ્યું છે તે જ પ્રમાણે જૈન સંપ્રદાયના રાયપસેણીય ગ્રંથમાં પણ જણાવ્યું છે; કે, જો બ્રાહ્મણો અમુક પ્રકારના ગુન્હા કરે, તે તેમને ડામ દેવાની શિક્ષા થતી. આવાં કેટલાંય દષ્ટાંતે પ્ર. લયમેનને માલમ પડ્યાં છે, અને તે ઉપર ચર્ચા કરીને તેમણે તે પ્રતિપાદન કર્યું છે. વળી તે જ પ્રકારનું કૌટિલ્ય પિતાના અર્થ શાસ્ત્રમાં પૃ. 200 ઉપર કહેલું છે કે, જેવી રીતે બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં દેષિત બ્રાહ્મણો માટે શિક્ષાને પ્રકાર બતાવ્યો છે, તેવા પ્રકારની કઈ શિક્ષા (ખાસ કરીને શરીરને ઇજા પમાડવા સંબંધી ) વૈદિકમતના કાયદા ગ્રંથ બનાવનાર મનુ ભગવાને કે તે પછી ના કોઈ લેખકે જણાવી જ નથી. ઉલટું તેમાં તે બ્રાહ્મણોને પક્ષ પકડી તેમને તેવી શિક્ષામાંથી બચાવી લીધા છે. અને જેમ પ્રો. લૈંયમેનનું ધારવું થયું છે, તેમ છૅ. કારપેન્ટીઅરનું મંતવ્ય પણ થયું છે. મતલબ એ થઈ કે બૌદ્ધ અને જૈન ગ્રંથના તથા કૌટિલ્યના વિચારે, ગુન્હેગાર બ્રાહ્મણ માટે એક પ્રકારના થાય છે, જ્યારે વૈદિક મતના મંથને અભિપ્રાય તેમનાથી ઉલટું જ થાય છે. આ પ્રમાણે સ્થિતિ છે. હવે વિચારો કે જે કૌટિલ્ય પિતે વૈદિક મતને જ અનુયાયી હોય તે, તેનું કથન કેવું થાત? શું તે બૌદ્ધ અને જૈન મંથને મળતો થઈ શકત કે? જે કે ન્યાય તળવામાં ધર્મ કે અન્ય પ્રકારને કોઈ જાતને પક્ષપાત કરે ઉચીત જ લેખાતે નથી, છતાં 5. 244.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy