SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] અન્ય માહિતી ઉપર વાયુગતિ સૂચક આવું ચિન્હ અંગ્રેજીમાં weather-cock કહે છે તે–ગોઠવેલું આપણે નીહાળી રહ્યા છીએ. તેનું મૂળ કારણ કદાચ એમ પણ હોય કે પ્રાચીન પધ્ધતિનું અનુકરણ અર્વાચીન કાળે કરવામાં આવ્યું હોય.. આ પ્રમાણે અનેક હેતુ પૂર્વક રાજકર્તાઓએ, પિતાના રાજવંશી ચિન્હો મુકરર કરી સિક્કા ઉપર છાપ્યાં છે. જે જે રાજાઓ તદન સ્વતંત્ર હતા તે તે પિતાનાં ચિન્હો, સવળા ભાગ (obverse) ઉપર રાખતા અને અવળા ભાગ ઉપર પોતાના ધર્મનાં ચિન્હ પાડતાઃ પણ જે એક રાજા પોતે, કોઈ બીજા રાજાની આણામાં હોય છે, જે રાજાની આણમાં તે પિતે હોય તે રાજાનું ચિન્હ સવળા ભાગ ઉપર તરતા અને પિતાના વંશનાં ચિન્હો વિગેરે અવળી બાજુ ઉપર કોતરાવત (આંધ્રવંશી સિક્કા ઉપર આનાં અનેક ઉદાહરણો માલૂમ પડી આવે છે. જેનું વર્ણન આપણે પ્રત્યેક સિક્કાની હકીકત લખતાં કરીશું). આ રવૈયો સામાન્ય હતે એમ અમારા નિરીક્ષણમાં આવ્યું છે. વંશનાં અને ધર્મનાં ચિન્હ ડાક સમય સુધી તે છપાતાં ચાલ્યાં આવ્યાં છે. પછી કેટલેક કળે રાજાઓએ પિતાનાં નામ પણ દાખલ કર્યો છે. આ પ્રમાણે સિક્કા ઉપરનાં લક્ષણોનું સામાન્ય વર્ણન કર્યું છે. બાકી જે કાંઈ ખાસ હશે તે તે સિક્કાને લગતી હકીકત લખતાં જણાવીશું. સિક્કાને લગતાં પુસ્તકે તે અનેક લખાયાં છે. પણ મેં અહીં વર્ણન કરવામાં બે ત્રણ પુસ્તકનોજ મુખ્યપણે આધાર લીધે છે. અને તેમ કરવામાં મુખ્ય હેતુ એ છે કે, તે પુસ્તકે સુલભ્ય છે, પ્રમાણુ ભૂત છે, તેમજ તેમાં વર્ણવાયેલા સિક્કાઓમાં આ પુસ્તકની કાળી મર્યાદામાં આવેલ રાજકર્તાના સિક્કાનું વર્ણન ઠીકઠીક પ્રમાણમાં કરવામાં આવ્યું છે. એટલે તેના વર્ણન ઉપરથી, જે કાંઈ મેં મારા અનુમાન રજુ કર્યા છે તેઓથી પરિચિત થનારને અન્ય પુસ્તક માંહેલી હકીકત ઉપર,વિચારણું અને ગવેષણ કરવાને માર્ગ સૂચક થઈ પડશે, એમ મારા મનમાં દેખાય છે. જો કે તે બે પુસ્તકોની કેટલીક શિલીને વળગી તો રહ્યો છુંજ પણું વર્ણન કરવામાં, તે બન્નેમાંથી કોઈની પદ્ધતિને જેમ ને તેમ અત્રે ન ઉતારતાં, તુલનાત્મક અભ્યાસીને ઉપયોગી થઈ પડે તે પ્રમાણે ગુંથણી કરીને આસનો ગોઠવ્યાં છે. મારો પ્રયાસ ધારેલ હેતુ બર લાવવામાં સફળ થાઓ એમ ઇચ્છું છું.' જે બે પુસ્તકના આધાર આ ગ્રંથમાં લીધા છે તેનું નામ સર અલેક્ઝાંડર કનિંગહામકૃત કેઈન્સાફ એન્શન્ટ ઈડીઆ ( ટૂંકાક્ષર-કે. એ. ઈ. ) અને ઈ. જે. રેસન કૃત કોઇન્સ ઑફ ધી આંધ્ર ડીનેસ્ટી. (ટૂંકાક્ષરી નામ કો. ઓ. રે) છે તેમ એક ત્રીજા પુસ્તકને આધાર પણ લીધો છે. જો કે તે બહુ જુજ પ્રમાણને જ છે. તેનું નામ સી. જે. બ્રાઉન કૃત કેઈન્સ ઑફ એન્શન્ટ ઈડિઆ દ્રિકાક્ષરી નામઃ સી. જે. બી.) ઉપરમાં આપણે સિકકામાં આવતાં અનેક ચિન્હો સંબંધી ઉલ્લેખ કરી ચિન્હ વિશે ગયા છીએ. તેમાં એમ પણ વિશેષ વિચા- જણાવી ગયા છીએ કે કેટલાંક ચિન્હો તે, જે સ્થળમાંથી તે મળી આવ્યાં છે તે દર્શાવનારાં છે, જ્યારે કેટલાંક તે કયા રાજવંશના અમલમાં પાડવામાં આવ્યાં છે, એમ બતાવનારાં છે. જ્યારે કેટલાંક અમુક વ્યકિતનાજ છે એમ સૂચવે છે. આ પ્રકારમાંનાં જેમ કેટલાંક વિશિષ્ટતા સૂચક છે તેમ કેટલાંક સામાન્ય સ્થિતિ બતાવનારાં પણ છે. આ છેલ્લા પ્રકારનાં ચિન્હોને સમાવેશ ધાર્મિક વર્ગનાં ચિહમાં કરી શકાય છે. કયાં ચિન્હ કયા ધર્મનાં છે તે મિ. સન સાહેબના છે કે તેની પ્રખ્યાતી મુખ્ય અંશે તે હિંદુ જાતિધરેએ રેખાંશની રેષા ગણવાનું તે સ્થાનેથી કરાવ્યું ત્યારથી થઈ છે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy