SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ [ પર ] - ઐતિહાસિક પૂર્વજોની મહારાજા કુમારપાળે માંસભક્ષણ સદંતર છેાડી દીધું અને મદિરાપાન ત્યજી દીધું એટલુ જ નહી પણ સાતે વ્યસનાને ત્યાગ કર્યા. પેાતાના પાડેાશી રાજ્ય સાથે સ્નેહસંબંધ વધાર્યાં, નબળા રાજ્યાને ઘટતી મદદ આપી ઊભા રાખ્યાં અને ખાસ કારણ વિના કેવળ રાજ્યવિસ્તારના લેાભથી કે પેાતાના ગર્વને પાષવાની વૃત્તિથી લડાતી લડાઇએ બંધ કરી. ફ્રાંસી કે મૃત્યુ જેવી ભયંકર સામે દૂર કરી. બળતણ પર અને ગાડા પર લેવાતા કરા રદ કર્યા. રાજ્યમાં અપુત્રિયાનું ધન લેવાતુ તે કાઢી નાખ્યું. દારૂમ'ધી સખ્ત રીતે કરી. જુગાર પર અંકુશ મૂકીને અટકાવ્યે અને દેશભરમાં અહિંસાનું વાતાવરણુ પ્રગટાવ્યું. આ જાતના સુધારાના મૂળ જૈનધર્મના સિદ્ધાંતામાં મળી આવે છે. મહારાજા કુમારપાળના જીવન પર એ તત્ત્વજ્ઞાનની જે ઊંડી અસર પડી તે આપણને ઉપરના સુધારા જોવાથી મળી આવે છે. એ સુધારણાના પ્રતાપે જ રાજવીને ‘ પરમઆ ત્ ’તું. બિરુદ પ્રાપ્ત થયું. અર્હત્ પ્રભુના અનુયાયીમાં સાધુ અને શ્રાવકે અને એ વર્ગ અતર્ગત સાધ્વી અને શ્રાવિકાઓના સમાવેશ થાય છે. અને એ ગણુમાં જે વ્યક્તિના કાર્યાં ધર્માંની શે।ભામાં વૃદ્ધિ કરનાર હાય છે તે પરમ અને અગ્રેસર મનાય છે. આમ એ બિરુદ પાછળ જે ભાવ સમાએલા છે તેના જૈનેતર લેખકેાએ વિચાર કરવાના છે. આપણે જોઇ ગયા કે જૈનેતર લેખકેામાંના કેટલાક માને છે તેમ રાજવી કુમારપાળ પાછળની જિંદગીમાં પરમમાહેશ્વર નહાતા પણ પરમ આત્જ હતા. તે જૈનધર્મને ચુસ્તપણે પાળનાર છતાં અન્ય ધર્માં પ્રતિ સમભાવધારી હતા કેમકે જૈનધર્મમાં ધર્મા ધતા કે ધમ ઝનૂન કેળવવાનું કહ્યું જ નથી. માર વ્રતે ગ્રહણુ કર્યાં પછી મહારાજા કુમારપાળને “ Master of the Order '' યાને સંઘપતિ થવાની અભિલાષા ઉર્દૂભવી. શ્રીમદ્ હેમચંદ્રસૂરિ
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy