SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવગાથા [ ૪૩ } પણ એમની કૃપાથી અભયદાન મળ્યું. નહિ તે મંત્રી ઉદયન સિદ્ધરાજની ખફગી વહોરી આ કાર્યમાં પડત જ નહી. વિશેષતા તે “સૂરિમહારાજ તરફથી નજીકમાં જ રાજ્યગાદી મળશે અને હાડમારીને અંત આવશે માટે નિરાશ થવાની અગત્ય નથી” એવી આગાહીની હતી. કેવળ પરમાર્થ દષ્ટિથી અપાએલ આ સહાય જ-કઈ પણ જાતના સ્વાથી હેતુ વગર માત્ર કરુણાના દષ્ટિબિંદુથી કરવામાં આવેલ આ કૃપા જ-ભવિષ્યમાં કુમારપાળના ધાર્મકિ જીવનમાં પલટે આણનાર નીવડી. કુમારપાળ ઉજજૈનમાં થોડા સમય સુધી રહ્યો ત્યાં તે ખબર આવ્યા કે સિદ્ધરાજનું અવસાન થયું છે એટલે સીધે તે અણહીલપુર પાટણ આવી પહોંચ્યા. માર્ગમાં જ એને આચાર્યશ્રીએ ભાખેલ ભવિષ્યની સત્યતા માટે ખાત્રી થઈ ચુકી. એણે એ વેળા મનમાં એ મહાન પ્રભાવિક સંતને પોતાના ભાવી જીવનમાં એક માર્ગદર્શક ગુરુ તરીકે સ્થાપવાની ગાંઠ વાળી. કુમારપાળે પિતાને શિવધર્મ છોડી જૈનધર્મ કેમ સ્વીકાર્યો એના અન્ય કારણેમાં ઉપરને બનાવ અગ્રસ્થાન ભોગવે છે. વ્યક્તિના જીવનમાં કેઈ ને કઈ પળ એવી આવી જાય છે કે જે વેળાના સંજોગોની અસર એટલી ભારે થાય છે કે એના વડે જીવનપલટ થતાં વાર લાગતી નથી. કુમારપાળ રાજગાદીએ બેઠા પછી કેટલાક સમય સુધી હેમચંદ્રસૂરિવાળે પ્રસંગ વીસરી ગયે. એમના સિવાય બીજા જે જે માણસેએ ઉપકાર કર્યા હતા તે સર્વને યાદ કરી તેમને ભેટ-ઈનામથી નવાજ્યા. ઉદયનના પુત્ર વાક્ષટને મુખ્ય સચિવ બનાવ્યું. ત્યાર પછીનો સમય આંતરિક અસંતોષને અને પાડેશના રાજાઓના વિરોધને શમાવવામાં ગયે. ખુદ પિતાના દરબારના સામે તેમાં જ કાવત્રુ ગોઠવાએલું હતું. ગાદીએ બેઠે ત્યારે કુમારપાળની વય પચાસ વર્ષની હતી. તેના અધિકારીઓ
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy