SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવગાથા [ ૧૧ ] વિચારધારાના અંતે મન મક્કમ બનાવી, એકાંત સાધી, તેણે કુમારદેવી સાથે મેળાપ કર્યા. શરૂમાં તા સ*સ્કારી રમણીએ કુળની કીતિને લાંછન લગાડે અને ધર્મની દ્રષ્ટિએ ઢાષિત ગણાય એવા ફ્રીવારના લગ્નના વિરોધ કર્યાં, એટલું જ નહીં પણ કાને હાથ દઈ, પુન: પેાતાની સમક્ષ આવી વાત ઉચ્ચારવાની મના કરી અને તેણી મ્હાં ફેરવી ચાલી ગઈ. આસરાજ આથી જરાપણ અકળાયા વિના પોતાના હેતુ ખર લાવવાના કાર્ય માં મડ્યો રહ્યો. એ વેળા તે પાછે અને મન સાથે નિશ્ચય કર્યો કે વિધવા કુમારદેવીને પરણવા કાઇ મળનાર નથી માટે પાતે જ એ કાર્ય કરવું. જ્યાં ધર્મની નજરે દોષિત, વ્યવહારની નજરે ટીકાપાત્ર અને મહાજનની નજરે અહિષ્કારરૂપ ત્રિવિધ વિધા સામે નાચી રહ્યાં હાય ત્યાં હાથ નાંખવાની હિ ંમત કાણુ કરે ? એક જ તમન્ના લાગી કે ગમે તેમ કરીને પણ આ ગુજર ભૂમિને એ રત્નાથી વંચિત ન રાખવી. ભલેને એ માટે ગમે તેવા કષ્ટોમાંથી પસાર થવું પડે. ભલેને જનસમૂહ તિરસ્કાર વર્ષાવે. ઘટતી તૈયારી કરી, આસરાજ પુન: મંત્રીશ્વરના મહેમાન અન્ય. તક સાધી કુમારદેવીને ગુરુમહારાજે કહેલી વાત કહી સંભળાવી અને ઉમેર્યું કે-આવુ ભાગ્ય સૌ કેાઇનું નથી હાતુ માટે અન્ય સર્વ ભચે છેડી દઇ, મારી સાથે ચાલી નીકળવાની હા ભણું. કુમારદેવી—“ તમા ખાનદાનના સંતાન છે. તમારી વીરતા મારી જાણ મહાર નથી જ. વળી ધર્મની પણ સમાનતા આપણા વચ્ચે છે, તેા પછી શા સારુ આવી ઉંધી લેાકવિરુદ્ધની સલાહુ આપે છે! મારા અને તમારા આ ભવ અને આવતા ભવ મગાડવાના માર્ગ બતાવેા છે?
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy