________________
અને ચોર ચોરી કર્યા વગર જ પાછો જવા લાગ્યો. પોતે ચોરી કરી નહોતી એથી હવે તેને ભય ન હતો. તેથી કાંઇક બેદરકારીપૂર્વક તે ચાલવા લાગ્યો. ચાલતાં કોઇક વાસણ તેના પગ સાથે અથડાયું. આથી ઘરનો માલિક જાગી ગયો. તેણે બૂમ મારીને પૂછ્યું “અલ્યા...એય ! કોણ છે ત્યાં ?”
ચોર કહે: “હું ચોર છું.”
માલિક તેની પાસે ગયા. લાઇટ કરીને જોયું તો સામે એક માણસ ઊભેલો જોયો. માલિકે પૂછ્યું “અરે ભાઈ ! તું ચોર છે ? ચોર કદી એવું કહેતો હશે કે હું ચોર છું ? તો સાચું બોલ, તું કોણ છે ?”
ત્યારે ચોર કહેઃ “શેઠ ! ખરેખર હું ચોર જ છું અને આવ્યો હતો તમારા ઘરે ચોરી કરવા, પરંતુ તમારા રસોડામાં એક ડબ્બામાંથી કાંઇક ખાવાનું લેવા જતાં હાથમાં મીઠું આવી ગયું. એ મીઠું મારાથી ખવાઈ ગયું. શેઠ ! હવે મારાથી તમારે ત્યાં ચોરી કેમ થાય ? એક તો ચોરીનું પાપ કરવું અને એમાં વળી જેના ઘરનું નમક ખાધું એને ત્યાં ચોરી કરવી ? ના...શેઠ ! ના...એ મહાપાપ મારાથી ન થાય.”
અને ચોર સડસડાટ બહાર નીકળી ગયો. શેઠ ચોરના અંતરમાં રહેલા આ સદગુણને અભિનંદી રહ્યા.
આર્ય સંસ્કૃતિમાં ચોર જેવા ચોરમાં પણ શિષ્ટતાના આવા ગુણો જોવા મળે ! અને આજકાલ શાહુકાર ગણાતા ઘણા શ્રીમંતોમાં ભારેમાં ભારે દુર્જનતા જોવા મળે છે ! કેટલું શીર્ષાસન ! સંતાનની હિત-ચિંતાઃ શિષ્ટનો ગુણ :
ચાણક્યના પિતા અત્યંત ધનવાન હતા. ચાણક્ય તેના પિતાનો ભારે લાડકવાયો પુત્ર હતો. - ચાણક્યનો જન્મ થયા પછીના કેટલાક સમયની આ વાત છે. અષ્ટાંગ નિમિત્તનો જાણકાર એક જ્યોતિષી ચાણક્યના પિતાના ઘરે મહેમાન બનીને આવ્યો હતો.
ચાણક્યના પિતા તરફથી તેની સુંદર આગતા-સ્વાગતા કરવામાં આવી. સરસ મજાનાં મિષ્ટાન્ન વગેરેનું ભોજન કરીને તે બેઠો હતો ત્યાં અચાનક એની