SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગાનુસારીના ગુણોમાં બારમા નંબરનો ગુણ બતાવ્યો છે ઉચિત-વ્યય. માણસે પોતાની આવકના પ્રમાણમાં જ ખર્ચ કરવો જોઇએ. આવકઅનુસાર ખર્ચ કરવો તે જ સાચી પંડિતાઇ છે. પેલી પંક્તિને જરા યાદ કરો: पतदेव हि पाण्डित्यं, आयादल्पतरो व्ययः ॥ . વ્યર્થ દૂર કરી સાર્થક આપોઆપ પ્રગટશેઃ અહીં યાદ આવે છે: પ્રસિદ્ધ શિલ્પકાર માયકલ એંજિલોની એક ઘટના. માયકલને રસ્તે ચાલતા જતાં એક પથ્થર ખૂબ ગમી ગયો. એ પથ્થરને તે ઉપાડીને ઘરે લાવ્યો. પોતાની શિલ્પકળા દ્વારા તેણે ટાંકણાંઓ મારીને પથ્થરમાંથી એક નયનરમ્ય મનોહર મૂર્તિ તૈયાર કરી, પછી તે મૂર્તિને કોઈ મ્યુઝિયમમાં મૂકી. હજારો માણસો માયકલની આ મૂર્તિને જોઇને આનંદિત બની ગયા. કોઇકે જ્યારે માયકલને પૂછયું “માયકલ સાહેબ રસ્તે પડેલા એક નકામા જેવા પથ્થરમાંથી તમે આવી મનોહર પ્રતિમાનું નિર્માણ શી રીતે કર્યું. ?” A. માયકલ જવાબ આપ્યો: “ભાઇ સાચું કહું તો હું પ્રતિમાનું નિર્માણ કરતો જ નથી. હું પથ્થરમાં રહેલા વ્યર્થ-ભાગોને ટાંકણાંઓ દ્વારા દૂર કરી દઉં છું એટલે પ્રતિમા આપોઆપ તૈયાર થઇ જાય છે. પ્રત્યેક પથ્થરમાં આવી કોઇ પ્રતિમા છુપાયેલી છે. તે પ્રતિમાને બહાર ઉપસાવી લાવવા તેના વ્યર્થ-ભાગોને દૂર કરવાની જ જરુર હોય છે.” માયકલે જે વાત કહી તે ખરેખર ખૂબ જ સમજવા જેવી છે. જીવનના વ્યવહારમાંથી વ્યર્થ ખર્ચાઓ-નકામી ઉડાઉવૃત્તિને જો દૂર કરી દેવામાં આવશે તો તમારા જીવનમાં પણ એક નયનરમ્ય વ્યક્તિત્વની પ્રતિમા ખીલી ઊઠશે. “સાર્થક અને જરૂરી ખર્ચાઓ જ કરો” એમ કહેવા કરતાં નકામા ખર્ચાઓ દૂર કરો” એમ જ કહેવામાં આવે તો અંતે સાર્થક જ ઊભું રહેશે. વ્યર્થની બાદબાકી કરતાં જે ઊભું રહે તેનું નામ જ છે, સાર્થક. આવું પૈસાનો ઘમંડ જ બોલાવે ? જેના જીવનમાં આવક પ્રમાણે જ ખર્ચ હોય તેનું જીવન સુખી હોય છે. તેનું ચિત્ત પ્રસન્ન હોય છે. તેનું ધર્મધ્યાન વગેરે પણ પ્રસન્નતાપૂર્વક ચાલતું રહે છે. ૧૭
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy