SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ રહેતા એક મુસલમાન યુવાન સાથે પરિચયમાં આવી. માતા-પિતાની જાણ બહાર આ પરિચય વધતો ગયો અને અંતે પ્રણયમાં પરિણમ્યો. કન્યાના આ પ્રેમસંબંધની જાણ માતા-પિતાને થઇ ત્યારે તેમણે સખત આઘાત અનુભવ્યો. તેમણે કન્યાને તે મુસલમાન યુવકને મળવાનો પ્રતિબંધ કર્યો. આમ છતાં તે કન્યા ક્યારેક ક્યારેક તે યુવકને છૂપી રીતે મળતી રહી અને કામાવેશમાં પોતાનું શીલ પણ તે યુવક દ્વારા ગુમાવી બેઠી. હવે તો કન્યાએ અફર નિર્ણય કર્યો કે, “પરણીશ તો તે મુસલમાન યુવકને જ.” એણે પોતાના નિર્ણયની માતા-પિતાને જાણ કરી દીધી. માતા-પિતાએ જણાવી દીધું “જો તારો નિર્ણય અફર હોય તો તું અમારા ઘરમાંથી રવાના થઇ જા. અમે માની લઇશું કે અમારે દીકરી હતી જ નહી.” . અને...પેલી કન્યા ખરેખર ઘરમાંથી ચાલી નીકળી અને પહોંચી પેલા પોતાના પ્રેમી મુસલમાન પાસે. પરંતુ ત્યાં પરિસ્થિતિ પલટાઈ ગઈ. પેલા મુસલમાને તો ચોખ્ખું જણાવી દીધું કે, “મને તો તારી સાથે શારીરિક આનંદ માણવામાં જ રસ હતો, બાકી હું તો તારી સાથે કદી લગ્ન કરવાનો નથી. કેમકે હું ચુસ્ત મુસલમાન છું. તારા જેવી નાપાક સ્ત્રી સાથે હું લગ્ન શી રીતે કરી શકું ?” પેલી કન્યાના માથે વીજળી તૂટી પડી. તેના આઘાતનો પાર ન રહ્યો. અંતે તેણે આખા શરીર ઉપર કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કર્યું. આ આખા પ્રસંગના મૂળમાં ઊંડાણથી વિચાર કરીએ તો આપણને સમજાશે કે આ દુઃખદ ઘટનાનું મૂળ અયોગ્ય પડોસ જ હતો. જો મુસલમાનનો પડોસ ન હોત તો આ પ્રકારની ઘટના સર્જાત જ નહીં, ઘર વસાવતાં પૂરી ચકાસણી કરો : માટે જ યોગ્ય જ ઘર વસાવવું જોઇએ. એકવાર ઘર લીધા પછી વારંવાર તે બદલી શકાતું નથી. તેથી જ ઘર લેતાં કે બાંધતાં પહેલાં પૂરેપૂરી ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. - તમારાં સંતાનોને એવું શિક્ષણ અને એવા સંસ્કાર આપવા જોઇ કે જેઓ ચારિત્ર્ય (દીક્ષા)ના જ મંગળમાર્ગે પ્રયાણ કરે, પરંતુ દુર્ભાગ્યના યોગે તે દીક્ષાના (૧૨ ૧૨૨
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy