SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ (=પાર્વતી) અને ગંગા તેની પત્નીઓ છે. આવી લોકોકિત છે. ज्ञानदर्शनचन्द्रार्क - नेत्रस्य नरकच्छि दः । सुखसागरमग्नस्य, किं न्यूनं योगिनो हरेः ।।६।। (૬) જ્ઞાન-ન-ચન્દ્ર-અર્વ-નેત્રસ્ટ-(જ્ઞાનનો સંબંધ ચન્દ્ર સાથે અને દર્શનનો સંબંધ સૂર્ય સાથે કરવાથી) જ્ઞાનરૂપ ચંદ્ર અને દર્શન રૂપ સૂર્ય જેમનાં નેત્રો છે એવા નરછિદ્રઃ-નરકગતિનો (નરક-અસુરનો) નાશ કરનારા (અને) સુવું-સાર-મનસ્યસુખ રૂપ સાગરમાં મગ્ન થયેલા યોનિ:-યોગીને :-કૃષ્ણથી ચૂનં-શું ઓછું છે. (૬) જ્ઞાન-દર્શન (કવિશેષ અને સામાન્ય બોધ) રૂપ ચંદ્ર-સૂર્ય જેનાં નેત્રો છે એવા, નરકગતિનો નાશ કરનારા અને સુખરૂપ સમુદ્રમાં લીન થયેલા યોગીને કૃષ્ણથી જરાય ઓછું નથી. કૃષ્ણનાં ચંદ્ર અને સૂર્ય એ બે નેત્રો છે. તે નરકાસુરનો નાશ કરે છે. તે અષાઢ સુદ અગિયારસથી ક્ષીરસમુદ્રમાં શેષનાગની શય્યામાં પોઢી જાય છે અને કારતક સુદ અગિયારસે જાગે છે એવું શિવધર્મના અનુયાયીઓ માને છે. सा सृष्टिब्रह्मणो बाह्या, बाह्यापेक्षावलम्बिनी । मुनेः परानपेक्षान्त-गुणसृष्टिस्ततोऽधिका ।।७।। (૭) વ્રHM:-બ્રહ્માની વાઈ-મોક્ષા-ગવર્નાન્વિની-બાહ્ય કારણની અપેક્ષા રાખનાર યા-જે વી-બાહ્ય સૃષ્ટિ:-જગતરૂપ સૃષ્ટિ છે, તત:-તેનાથી બ્રહ્માની બાહ્ય સૃષ્ટિથી) મુને -મુનિની પર-અપને-અન્ત:-જુન-સૃષ્ટિ-બીજાની અપેક્ષાથી રહિત અંતરંગ ગુણની સૃષ્ટિ ધા-અધિક છે. (૭) બ્રહ્માની બાહ્ય સૃષ્ટિ (=વિશ્વનિર્માણ)થી મુનિની આંતરિક ગુણસૃષ્ટિ (=આત્મગુણોનું પ્રક્ટીકરણો ઉત્કૃષ્ટ છે. કારણ કે બ્રહ્માની બાહ્યસૃષ્ટિ બાહ્ય કારણની અપેક્ષા રાખે છે, જ્યારે મુનિની આંતરિક ગુણસૃષ્ટિ પરની અપેક્ષાથી રહિત છે. रत्नस्त्रिभिः पवित्रा या, स्रोतोभिरिव जाह्नवी । सिद्धयोगस्य साप्यर्हत्पदवी न दवीयसी ।।८।। (૮) સ્ત્રોતોમ:-(ત્રણ) પ્રવાહોથી દ્વિવી-ગંગાની રૂવ-જેમ ચા-જે ત્રિમિ:જ્ઞાનાદિ ત્રણ રત્ન:-રત્નોથી પવિત્ર છે, સા=તે ગઈવી -તીર્થકર પદવી ગરિ-પણ સિયોડાસ્ય-સિદ્ધયોગવાળાને વીસથી-બહુ દૂર ન-નથી. (૮) ત્રણ પ્રવાહોથી પવિત્ર ગંગાનદીની જેમ સમ્યગ્દર્શનાદિ ત્રણ રત્નોથી પવિત્ર અરિહંત પદવી પણ સિદ્ધયોગ સાધુને દૂર નથી. સિદ્ધયોગીને સમાપત્તિ આદિ ધ્યાનથી તીર્થંકરના દર્શન થાય છે. ગંગા પાતાલ, મનુષ્ય અને સ્વર્ગ લોકમાં વહે છે. આથી તેના ત્રણ પ્રવાહ છે.
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy