SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ✩ ✩ ✩ જીવદયા સાથે જીભયા પાળો.... સંસારના સંબંધોમાં કમળની જેમ નિર્લેપતા લાવો. જગતના ધિક્કારથી ક્રોધ આવશે જ્યારે જાતના ધિક્કારથી બોધ આવશે. કસોટીથી સોનું પરખાય, જીભથી માણસ પરખાય. જીવદયા સાથે જીભઠયા પાળો. સપાટી જોઈને કોઈના દ્વેષી બની જવાય પણ તળીયું જોવાથી ગુણાનુરાગી બની જવાય. જ્ઞાનમગ્ન આત્મા એટલે ઓલપ્રુફ આત્મા. જ્ઞાનસાર ગ્રંથ અનેક સમસ્યાઓનું સમાધાન કરાવી જ્ઞાનદૃષ્ટિ ખોલી આપે છે. ‘મગ્નતા’ના ૫/૬ શ્લોકની અંદર સાધુનો પર્યાયની વૃદ્ધિ સાથે આંતર ૫રીણતિનું વર્ણન કરી રહ્યા છે. પર્યાયની વૃદ્ધિ સાથે આનંદની વૃદ્ધિ થવી જ જોઈએ. ભગવતી સૂત્રની અંદર ભગવાન મહાવીર સ્વામી ૧૪માં શતકની અંદર સાધુતાના આનંદનું વર્ણન કરી રહ્યા છે. પર્યાય વધે તેમ આંતરપરીક્ષતિમાં આનંદની વૃદ્ધિ થવી જોઈએ. પર્યાય એટલે આનંદના વ. અહીં તેજોલેશ્યાની વાત જણાવે છે. તેજોલેશ્યાના ત્રણ અર્થો કરે છે : (૧) આંતરિક આનંદ, (૨) આત્મિક શક્તિ, (૩) આત્માનો વિશેષ પરિણામ તે અધ્યવસાય. આત્મિક આનંદના રસ ઉલ્લાસ દિવસે દિવસે વધતા જાય. પર્યાયનો ૧ માસ પૂર્ણ થાય. વૈમાનિક જેવું સુખ પામે, છ મહિનાનો પર્યાય થાય ત્યાં સૌધર્મ દેવલોકના સુખથી એનું સુખ વધી જાય. ૧૦ મહિનાના પર્યાયમાં આણત-પ્રાણત કરતાંય એનું સુખ વધી જાય. ૧૨ મહિના થાય ત્યાં અનુત્તરવાસી દેવલોકથીય એનું સુખ ચડી જાય. અનુત્તરવાસીઓના આનંદને પણ નિરૂત્તર કરી દે. જે મહાત્માને કંચન-કામિની પથ્થર સમાન છે એને ચિંતા શું? દુનિયાના સમ્રાટ કે ઈન્દ્ર પાસે ન હોય એવું સુખ હોય. સાધુને કલ્પનાતીત સુખ હોય. પોતાની ઈન્દ્રિયોનો પ્રત્યાહાર કરે છે. વિષયોથી પાછી વાળી હોય છે અને મનને આત્માની અંદર સ્થાપ્યો હોવાથી ચામડી-સ્પર્શ, જીભ-રસ, નાક-ગંધ, કર્ણ-શબ્દ, નયન-દર્શનના કોઈપણ પુદ્ગલ વિષયમાં ૪
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy