SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કહ્યું હોત તો ભૂલ તમારી છે? આવું કશું જ બોલ્યા નથી. સમર્પણ જુદી ચીજ છે. સ્નેહના સંબંધ જુદા અને સ્વાર્થના સંબંધ જુદા. મૃગાવતીજી બે હાથ જોડી મિચ્છામિ દુક્કડમ્' આટલું જ બોલ્યા. આવા દૃષ્ટાંતો અવસરે યાદ કરીએ તો જીવતા આવડી જાય. મૃગાવતીજી અંધારામાં ધ્રુસકે ધ્રુસકે રડ્યા. મારા ગુરૂણીને આટલું બોલવું પડ્યું એ દુઃખ હૃદયમાં વ્યાપી ગયું. મોટા જ્યારે ગુસ્સામાં આવે ત્યારે શું કરવું? મૌન રહેવું. તમે બધા જ્ઞાનભંડાર છો હવે ગુણભંડાર બની જાઓ. હાથ જોડી ઊભા રહો. અંજલી એ ક્રોધ ઉપર પાણી છાંટવાનું કામ કરે છે. જેવા સાથે તેવા બનીએ તો કશું ન વળે. વલોપાત એ મુક્તિનું પ્રવેશદ્વાર છે. વડીલો સામે સામનો, સંઘર્ષ ન હોય, સમર્પણ હોય. સમર્પણ સહનશક્તિ આપે છે. સમર્પણ એ નમ્રતાનું પ્રતિક છે. નમ્ર બનીને, સહુના દિલ જીતીએ. વિકથામાંથી પ્રભુકથામાં ચિત્તને જોડીએ... આપણા જીવનને સલામત રાખવા સહુને સાચવી લેતા શીખો... સહુને અપનાવી લેતા શીખો... સામાને બચાવી લેતા શીખો. અન્યને આવકારતા શીખી જાઓ. નાનકડી જીંદગીમાં પ્રસન્નતા પાંગરી ઉઠશે... દયા ખીલી ઉઠશે... પ્રેમ ઝુમી ઉઠશે.. • ૭૩ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy