SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શમ સંવેગાદિ પાંચ લક્ષણો હોય તે સમકિતિ કહેવાય. પરમાત્માના શાસન ઉપરની શ્રદ્ધા ખૂબ જરૂરી છે. દુ:ખીના દુ:ખ જોઈ અંતર વેદનાથી ભરાવું જોઈએ. કોર્ટના સમયે અબ્રાહમ લિંકન જતા હતા. રસ્તામાં ગાડી ઊભી રાખી નીચે ઉતર્યા. એક ડુક્કર કીચડમાં ફસાઈ ગયું હતું. લિંકને પોતે જાતે ફસાયેલા ડુક્કરને ખેંચી કાઢ્યું. એને દુ:ખમાંથી મુક્ત કરી પછી ગાડીમાં બેસી કોર્ટમાં ગયા. સૂટ ગંદો થયો હતો. કપડા બદલવા જાઉં તો કોર્ટનો સમય ચૂકી જવાશે એ દહેશતથી એ જ કપડે કોર્ટમાં ગયા. બધાએ સૂટ કાદવવાળો કેમ? પૂછતાં ડુક્કરની હકીકત કહી. બધા હસવા માંડ્યા. બીજા કોઈ માણસને કહ્યું હોત તોય કાઢી આપત. લિંકને જવાબ આપ્યો : ભાઈઓ મેં ડુક્કરનું દુઃખ દૂર નથી કર્યું. મેં તો મારું દુઃખ દૂર કર્યું છે. એના દુઃખે હું દુઃખી હતો. બીજાનું દુઃખ પોતાનું બને તે અનુકંપારૂપ બની જાય.... 22 આગ જેમ લાકડાને ખાઈ જાય છે તેમ લાગણી દોષોને પી જાય માણસ જેમ જેમ લાગણીશીલ બનતું જાય તેમ તેમ એનું હૃદય ગદ્ગદ્ બનતું જાય છે. સત્કાર્ય કર્યા વિના રહી શકતો નથી તે કોઈના સુકૃત જોઈ એને ધન્યવાદ આપવામાં પાછો પડતો નથી... - - ૪૧ - -
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy