SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ હોવા છતાં નોકરાણી પર જરાય ગુસ્સો નથી કરતા. ગદ્ગદ્ ભાવે મુનિવેષમાં આવેલા દેવતાને કહે છે, આજે મારું પૂણ્ય ઓછું પડ્યું. બિમાર સાધુની ભક્તિનો લાભ ન મળ્યો... આપણે તો એ જાણવું છે કે પોતાના ભાવ અખંડ રાખ્યા તો ફળ પણ અખંડ મળ્યો. ભાવ આવ્યા વગર સ્કુલમાં દાખલ કરાયેલ છોકરાને પાંચ વર્ષ પછી સ્વયં સ્કુલમાં જવાના ભાવ જાગવા માંડે છે. બસ તેમજ, આજે ભલે ભાવ નથી. તો તેની પરવા ન કરો. ભાવ નથી તોય ક્રિયા કરતા રહો. સમય જતાં સમજ પ્રગટશે. સમજ એ બહુ મોટી ચીજ છે. આપણા તો મનની વિચિત્રાતા છે. ધર્મનું ફળ આપણને અખંડિત જોઈએ છે. ભાવો તથા ક્રિયાઓને ખંડિત કર્યાજ કરીએ છીએ. ભાવોને ખંડિત થવા ન દો. ખંડિત થનારા ભાવોની બાદબાકી સતત કરતા રહો. એક વાત નક્કી કરો. મારો જે વિષય નથી એ વિષયમાં રસ લેવો નથી. ચિંતા કરનારા ચાર પ્રકારના જીવો છે. (૧) આત્માની ચિંતા કરે તે ઉત્તમ. (૨) વિષયોની ચિંતા કરે તે મધ્યમ (૩) પૈસાની ચિંતા કરે તે અધમ (૪) પારકાની ચિંતા કરે તે અધમાધમ. આપણે આપણા આત્માની જ ચિંતા કરીએ. પારકાના ઘરમાં ડોકિયા શા માટે કરીએ. ક્રિયાયોગી બનવાનું છે. આચારાંગ સૂત્રમાં ભગવાને કહ્યું કે સાધકે સાધના માટેની એક વાત ધ્યાનમાં રાખવી. બીજાની ચેષ્ટા માટે જે બહેરા મૂંગા અને આંધળા બની શકે તે જ સાચો સાધક. વિભાવ દશાથી બચવું છે. પ્રમાણિકપણે પુરૂષાર્થ તો કરવો જ પડશે. અશુભથી નિવૃત્ત થઈએ, શુભમાં પ્રવૃત્ત બનીએ, અંતે શુદ્ધમાં જાગૃત બનીએ. નાના મોટા કષ્ટો ઉઠાવી લઈએ. જે પથ્થર ટાંકણાના ઘાથી વંચિત રહે તે કષ્ટથી તો બચી જાય છે પરંતુ પ્રતિમા બનવાના સૌભાગ્યથી પણ વંચિત રહી જાય છે. આવો, આપણે તારક ક્રિયાઓને પ્રાણવંતી બનાવીએ.. 1ણ ક ક મા આ જે ૨૮૪ ના હ | Etal / I
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy