SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પર કપડું રાખી આગળ નીકળી ગયા. શ્રીકૃષ્ણ મહારાજ સડેલી દુર્ગધયુક્ત કૂતરી તરફ દષ્ટિ રાખી બોલી ઊઠ્યા. કૂતરીની દાડમની કળી જેવી દંતપંક્તિ કેટલી સુંદર છે. આ છે ગુણગ્રાહી દૃષ્ટિ. ટેબલ પર એક ગ્લાસ છે અર્થો દૂધથી ભરેલો છે. એક માણસ આવીને કહે છે, “ગ્લાસ દૂધથી અડધો ભરેલો છે.” બીજો કહે છે, “ગ્લાસ અડધો ખાલી છે. જયાં “સવળી વિચારણા' છે ત્યાં “ગુણદૃષ્ટિ' છે. જ્યાં વિચારણા “નકારાત્મક છે ત્યાં ‘દોષદૃષ્ટિ' છે. જ્યાં અધુરું દર્શન, અપૂર્ણ દષ્ટિ છે ત્યાં સુધી કષાયો કરૂણનાદ ઉત્પન્ન કરશે. આર્તધ્યાન, આર્તનાદ કરાવશે. મોટાથી નાના સહુના માટે રાજમાર્ગ આ છે. સંસાર છોડવો સહેલો પણ સંસારના કારણો છોડવા મુશ્કેલ છે. ત્યાગ કરવો સહેલો છે પણ વૈરાગ્ય જગાડવો મુશ્કેલ છે. પૂર્ણ બનવું છે તો ગુણદૃષ્ટિનો વિકાસ કરવો જ પડશે. આજ સુધી અનેક લોકોને માપતા જ આવ્યા છીએ. માપવા કરતા પામવાની દિશામાં આગળ ધપીએ. * દૂધ મીઠું થાય છે, સાકરને સ્વીકાર્યા પછી.... * નાક તરબતર થાય છે, સુવાસને સ્વીકાર્યા પછી.... * જીભ સ્વાદની અનુભૂતિ કરી શકે છે, મીઠાઈને સ્વીકાર્યા પછી જ... * રૂ ની વાટ પ્રકાશ રેલાવી શકે છે, દિવાસળીના સ્વીકારનું સત્ત્વ દાખવ્યા પછી જ. આ બધાયના સ્વીકાર કરતા એક સ્વીકાર ભારે ગૌરવપ્રદ બનાવવાની વાત જ્ઞાનસાર કરે છે. જો એ સ્વીકારમાં સફળ બન્યા તો ખ્યાલ થઈ જવાના... પણ એ સ્વીકારમાં આપણે તૈયાર ન થયા તો બેહાલ બનવાના.... એ સ્વીકારનું નામ છે : જગતના જીવો ! કોઈપણ કારણસર આપના હૃદય સિંહાસનેથી જીવ પ્રત્યે આદરસભાવ ગયો તો આપણે સમજી લેવું કે અનેક સદ્ભાગ્યોના ઉઘાડથી આપણે વંચિત બની જવાના. જગતના જીવો તો આદરભાવના અધિકારી છે. જીવમાત્ર જ્ઞાનાદિ અનંતગુણોનો સ્વામી છે... પરમાત્મતુલ્ય છે...
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy