SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ परस्वत्वकृतोन्माथा, भूनाथा न्यूनतेक्षिणः । स्वस्वत्वसुखपूर्णस्य, न्यूनता न हरेरपि ||७|| અન્વય સહિત શબ્દાર્થ(૭) પરત્વકૃત-પરવસ્તુમાં આત્મપણાની બુદ્ધિથી કરી છે ઉન્માથીવ્યાકુળતા જેઓએ એવા મૂનાથા-રાજાઓ ન્યૂનતેરસ:-પોતાની ન્યૂનતાને જોનારા (છે.) સ્વત્વ, સુરઉપૂરચ-આત્માને વિશે આત્મપણાના સુખથી પૂર્ણ થયેલાને દરેઃ ઇંદ્ર કરતાં પણ ન્યૂનતાઓછાપણું ન-નથી. (૭) પુદ્ગલમાં આત્મપણાની બુદ્ધિથી વ્યાકુલ બનેલા રાજાઓ પણ પોતાને અપૂર્ણ જુએ છે. આત્મામાં આત્મસુખથી પૂર્ણ બનેલા મુનિને ઇંદ્રથી પણ કમીના હોતી નથી. પુદ્ગલાનંદી જીવોને ગમે તેટલી સંપત્તિ મળે તો પણ તૃપ્તિ થતી નથી. તૃષ્ણા અનંત હોવાથી સદા અપૂર્ણ જ રહે છે. પૂર્ણાનંદ આત્મા ઇંદ્રસુખથી પણ અનંતગુણા સુખનો અનુભવ કરે છે.' कृष्णे पक्षे परिक्षीणे, शुक्ले च समुदग्धति । द्योतन्ते सक्लाध्यक्षाः, पूर्णानन्दविधोः कलाः ||८|| અન્વય સહિત શબ્દાર્થ– (૮) કૃષ્ણ પક્ષે પરિક્ષણે-કૃષ્ણપક્ષનો ક્ષય થયે છતે શુવન્ને ૨ સમુદ્ઘતિ-અને શુક્લ પક્ષનો ઉદય થયે છતે સનાધ્યક્ષા:-સર્વને પ્રત્યક્ષ એવી પૂનત્ત્વવિદો:-પૂર્ણાનંદરૂપ ચંદ્રના ના:-અંશો = ચૈતન્ય પર્યાયો દ્યોતજો-પ્રકાશમાન થાય છે. (૮) કૃષ્ણપક્ષનો ક્ષય અને શુક્લપક્ષનો ઉદય થતાં પૂર્ણાનંદ આત્મારૂપ ચંદ્રની સર્વ પ્રત્યક્ષ કલાઓ= ચૈતન્ય પર્યાયો પ્રકાશમાન થાય છે. જેમ ચંદ્રની કળાઓ શુક્લપક્ષમાં જ પ્રકાશિત બને છે, તેમ યો.શા. પ્ર. ૨ ગા. ૧૧૨, ૧૧૪ અ.સા.ગા. ૧૧, પ્ર. ૨.ગા. ૧૨૪થી ૧૨૮, ૨૩૫ થી ૨૩૮.
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy