SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વભાવ તરફ જોડે એ ઈન્દ્રિયજય. પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠું મન આનાથી થાય છે મતિજ્ઞાન. આપણા જ્ઞાનને દૂષિત બનાવવું કેમ ચાલે? અજ્ઞાનતા પણ ન ચાલે? તમે જમો અને અમે વાપરીએ એમાં શું ફરક? સંસારી જમે અને સાધુ વાપરે. ઢોર ખાય, જનાવર ખાય. તમો લારી ઉપર ડલબ-રોટી, પાઉંભાજી વગેરે જમો કે ખાઓ છો? તમે સમજી ગયા હશો. ખાતા-ખાતા આપણે કહીએ, “શું ટેસ્ટી છે' તરત આપણો પરાજય થવા માંડે. ઈન્દ્રિય દ્વારા આવતા પદાર્થ ઉપર સમભાવ તે ઈન્દ્રિયજય. ધર્મરૂચિ અણગાર વહોરવા ગયા. કડવી તુંબડીનું શાક વહોરી લાવ્યા. ગુરૂને ગોચરી બતાવી. સાધુ ગુરૂને પૂછ્યા વગર કાંઈપણ ન કરી શકે. ગુરૂએ ગોચરી જોઈ કહ્યું, આ શાકને નિર્દોષ ભૂમિએ પરઠવી દો. એ વાપરવા યોગ્ય નથી. ધર્મરૂચિ અણગારે તરત જ કહ્યું તહત્તિ. સાધુઓનો વિનય રાજકુળો કરતાંય ઊંચો હોય. એક રાજાએ ગુરૂદેવને કહ્યું તમારા સમુદાયમાં અમારા જેવો વિનય નથી. ગુરૂ કહે છે પરીક્ષા કરી જુઓ. ગુરૂદેવે શિષ્યને બોલાવ્યો અને રાજાએ રાજકુમારને બોલાવ્યો. બંનેને આદેશ થયો, ગંગાના વહેણ જોઈ આવો. બંને ગયા. રાજાએ બંનેની પાછળ જાસુસ મોકલ્યા છે. થોડા સમય પછી રાજકુમાર આવ્યો. કહે ગંગાનો પ્રવાહ પશ્ચિમથી પૂર્વ તરફ છે. થોડીવાર રહીને શિષ્ય આવ્યો. જવાબ એ જ આપ્યો. રાજા જાસુસને પૂછે છે બંનેએ પ્રવાહ કઈ રીતે જોયો? જાસુસે કહ્યું, રાજકુમાર રસ્તા ઉપરથી પસાર થતા માણસને પૂછી લીધું અને પછી બે કલાક દોસ્તો સાથે સમય પસાર કરી અહીં પાછા આવેલા. અને પછી ગુરૂદેવે શિષ્યોને પૂછ્યું, તમે શું કર્યું? શિષ્ય કહે છે આપની આજ્ઞા થતાં હું ગંગાના કાંઠે ગયો. પ્રવાહની સાચી સમજ માટે પાણીમાં દાંડો મૂક્યો. દાંડો પશ્ચિમથી પૂર્વ તરફ ખસવા લાગ્યો પછી પાછી એની ખાતરી કરવા ત્યાં ઉભેલા ભાઈઓને પૂછી ખાતરી કરી આવ્યો છું. રાજાને ખાતરી થઈ કે રાજકુલ કરતા ગુરૂકુલનો વિનય મહાન છે. ધર્મરૂચિ અણગાર ગુરૂની આજ્ઞાથી ગોચરી પરઠવવા ગયા છે. આ ગોચરી ક્યાં પરઠવવી એમ વિચારે છે. એમ કરતાં નિર્જીવ ભૂમિમાં એક ટીપું પરઠવ્યું. પણ ત્યાં જ એની સુગંધથી કેટલીય કીડીઓ આવી અને મરી ગઈ. મુનિ વિચારે છે એક ટીપામાં આટલા જીવોની હિંસા થશે તો આટલી ગોચરી પરવતા કેટલી હિંસા થશે? છેવટે વિચારે છે નિર્દોષ ભૂમિ તો પેટ છે. એક સાકરના કણિયા પર કેટલી બધી કીડીઓ આવી જાય છે અને પાંચ-છ પેંડા ખાઈને સૂઈ ગયેલા માણસના પેટ પર એકેય કીડી આવતી નથી. ધર્મરૂચિ અણગારે પેટને નિર્દોષ ભૂમિ માની શાક પેટમાં પરઠવી is a treetiામાદાના દસ જ શા દાદા દાદ tv actresses s izes and Ess ts #t E & a 53, he * * E F શ sit the 1 Y સિક
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy