SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ દોસ્ત! કોઈ વાતની ચિંતા નથી. બધી રીતે સુખી છું છતાં..અટકી ગયા. દોસ્ત પૂછે છે કેમ અટકી ગયો. છોકરી ઉંમરલાયક છે એના માટે યોગ્ય છોકરો હજી મળ્યો નથી. દોસ્ત કહે છે એમાં શું દોષ છે? મારો દિકરો પણ મોટો જ છે. તો કરી લઈએ નક્કી! પિતાજીએ મહા સુદ પાંચમનો લગ્નનો દિવસ નક્કી કરીને ચાંદલાનો રૂપિયો આપી દીધો. મા પોતાના માવિત્રે ગઈ છે ત્યાં બાજુમાં રહેતી પોતાની બહેનપણીના ઘરે જાય છે. બન્ને જણા ઘણા સમયથી મળ્યા હોવાથી વાતોમાં લાગી ગયા. બેનોની વાતોમાં પૂછવાનું શું હોય? મોડીરાત સુધી બન્ને સખીઓએ વાતો કરી અને વાતોમાં એ પોતાની છોકરીનું સગપણ સખીના છોકરા સાથે મહા સુદ-૫ના નક્કી કર્યું. છોકરીનો ભાઈ પણ પોતાના મિત્રના ભાઈ સાથે સગપણ જોડીને આવ્યો. ત્રણેય જણા પાછા ઘેર આવ્યા. બધા કહે છે અને સારા સમાચાર લઈને આવ્યા છીએ. પિતાજી કહે છે કે આજે હું એક મોટું ટેન્શન દૂર કરી આવ્યો છું. દીકરી માટે યોગ્ય વરની પસંદગી કરીને આવ્યો છું. ત્યાં દીકરો કહે છે હું પણ મારા મિત્ર જોડે લગ્નની વાત કરી આવ્યો છું. પિતાજી અને ભાઈનું સાંભળી મા કહે છે મને પૂછયા સિવાય તમે સગપણ નક્કી ન કરી શકો. દીકરીની ચિંતા મને જ વધારે હતી. મેં પણ દીકરી માટે યોગ્ય વરની પસંદગી કરી છે. ત્રણેય જણ એકબીજાના મોં સામે જુએ છે. ત્રણેયની વાત સાંભળી છોકરીને ટેન્શન થઈ ગયું. પેલા ત્રણેય લડવા લાગ્યા. દીકરી તો જોતી જ રહી છે. એવામાં મહાસુદ પાંચમનો દિવસ આવી ગયો. મંગલ મૂહૂર્ત ત્રણેય જાનો આવી ગઈ. પિતા કહે છે મેં નક્કી કર્યું છે એ છોકરા સાથે જ લગ્ન થશે. દિકરો કહે છે મારી ઈજ્જતનું શું? મા કહે છે મેં મારી દીકરી માટે જે કર્યું છે તે યોગ્ય જ છે. ત્યાં પેલી છોકરી કહે છે તમે ત્રણે ભેગા થઈને તમારી ઈજ્જતનું માંડો છો પણ એની વચ્ચે મારી જિંદગીનું શું? જ્ઞાનસારમાં તો આપણી સહુની જિંદગી વિષે જણાવે છે. પૂનમનો ચંદ્રમાં આકાશમાં ખીલ્યો હોય ત્યારે એને ધોળી ચાંદનીમાં તારાઓની ગણતરી શક્ય નથી. બપોરના પ્રખર સૂર્યના તેજમાં રેતીના કણિયાની ગણતરી શક્ય નથી અને ઉછળતા સમુદ્રને જોઈ એ કેટલો લાંબો છે એ કહેવું મુશ્કેલ છે. તેમ ઉપશમરસમાં ડૂબેલા મુનિના આનંદને કહેવાને કોઈ સમર્થ નથી. મહાત્માઓ જયારે આત્માના સ્વરૂપમાં નિજાનંદની અંદર મસ્ત બને છે ત્યારે એ આનંદને વર્ણવવા માટે શબ્દો પણ વામણા પડ્યા છે. એ આનંદને માટે આ જગતમાં કોઈ ઉપમા નથી. મુનિની આંતરિક દુનિયાની અંદર સતત ઉપશમભાવ અને સમતાભાવ વિલસતો હોય છે. ઉનાળાના કોઈ બપોરે કોઈ વ્યક્તિ તૃષાતુર થયો હોય એ સમયે ઠંડુ પાણી = • ૨૧૮ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy