SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ( 4 જ્ઞાનમાર્ગ-ભક્તિમાર્ગ-વૈરાગ્યમાર્ગ ક્યો રાહ પસંદ છે? લાચારની લાચારીનો લાભ લે તે માણસ નથી. ચીમની હોય તો દીવડો બૂઝાતો નથી. ભક્તિની ચીમની હોય તો મનનો દિવડો બૂઝાશે નહીં. * સંબંધ હોય ત્યાં ભૂલ જોઈ શકાય છે પણ જયાં સમર્પણ હોય ત્યાં ભૂલ દેખાતી નથી. માછલી પાણીમાંથી બહાર આવે તો બગલાનો શિકાર બને તેમ સાધુ ધ્યાનમાંથી બહાર આવે તો સંસારનો શિકાર બને. * જયાં હોય અને હલ્લો જ હોય ત્યાં હાયહાય હોય પણ જયાં પ્રણામ અને નમસ્કાર છે ત્યાં જ ચમત્કાર છે. મોર્ડન બનવામાં સંસ્કૃતિની કોર્ડન તૂટી છે. * મનને સ્થિર કરવાના ત્રણ માર્ગ-જ્ઞાનમાર્ગ-ભક્તિમાર્ગ-વૈરાગ્યમાર્ગ. * ગજવામાં ઈજેકશને રાખવાથી તાવ ન જાય તેમ માત્ર જિનવાણી ટપકાવવાથી ભવરોગ ન જાય. મહાન જ્ઞાની ભગવંત શ્રી ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનસારના ત્રીજા અષ્ટકમાં સ્થિરતાની મહત્તા સમજાવી રહ્યા છે. સાધના/ઉપાસનાની નાની પણ ક્રિયા તારનારી બની શકે છે. ક્રિયારૂપ ઔષધમાં સ્થિરતાની જડીબુટ્ટીની આવશ્યકતા છે. અંતરની શુદ્ધિ વગર કરેલી ક્રિયા છાણ ઉપરના લીપણા બરાબર થશે. મસ્જિદની અંદર નમાજ પઢતાં પહેલા ત્યાં કુંડમાં રહેલા પાણીથી મુખશુદ્ધિ કરવાનો રિવાજ હોય છે. રોજ ક્રમ પ્રમાણે બધા મૌલવીજીની હાજરીમાં નમાજ પઢવા આવે. એક ભાઈએ આવીને મૌલવીજીને કહ્યું. મૌલવી સાહેબ પાણીમાંથી ખૂબ જ વાસ આવે છે. તો કોગળા કેવી રીતે કરું? બે-ચાર બાલ્દીઓ ભરીને પાણી બહાર નાંખી દો. એણે તેમ કર્યું. બીજા દિવસે આવીને એ જ વાત. ૧૦ બાલ્ટીઓ પાણી બહાર ઢોળી દો. ભલે. ત્રીજા દિવસે આવીને ભાઈ કહેવા લાગ્યા “મૌલવી સાહેબ ભયંકર દુર્ગધ આવી રહી છે. ૧૦૦ બાલ્દી પાણી હોજમાંથી બહાર વહાવી દો. એક ભાઈ કુંડ તરફ જઈને આવ્યા અને મૌલવીજીને કહ્યું, આપ જરા કુંડમાં નજર = • ૧૦૨ -
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy