SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ८७ અંદરમાંથી અનુભવ પુકારે એને જગતના પ્રમાણપત્રની શું આવશ્યકતા ? અંતસમાંથી ઉઠતો નિઃશંક નાદ જ ખરૂં પ્રમાણપત્ર છે. અગણિત જ્ઞાનીઓની ભીતરની અલૌકિક દશા જગત નથી પિછાણી શક્યુ ને એ પણ પરમનપણે મસ્તીમાં ડૂબી ગયા છે. અનુભવ વિદ્યમાન હોય એ કાળે કોઈ સંશય ઉદ્ભવી શકતો નથી. જો આંશિક પણ સંશય હોય કે આ આત્માનુભવ હશે કે કેમ – તો હજું અનુભવ પ્રગટ્યો નથી. ઝાંખી પશ્વાતું કદાચ સંશય ઊભો થાય પણ પ્રચુર અનુભવન પછી સંશયને કોઈ અવકાશ નથી રહેતો. સંભવ છે. કેટલાય જુગોથી...કેટકેટલાય જન્મોથી તમે અધ્યાત્મમાં ઉતરેલા હો. - પણ, કોઈ એવી બુનિયાદી ભૂલ રહી જવા પામતી હોય એના કારણે તમારું આમૂલ રૂપાંતરણ અટકી રહ્યું હોય; અને એ જ ભૂલ અગણિતવાર સેવાય રહી હોય છે. માનવીનો અંતર્યામિ જ એનો ખરો ગુરુ છે – ભીતરના ભેદ બધા એ જ જાણે છે. એ અંતર્યામિ ગુરુ જો જાગૃત હોય તો કોઈ પરીબળ જીવને ક્યાંય ભટકાવી શકે નહીં. નિઃશંક “જાગૃત અંત:કરણ' જ જીવનો પરમગુરુ અને પરમબેલી છે. અજ્ઞાન, મોહ કે પ્રમાદજનિત લવલેશ ભૂલ સંભવે કે તત્સણ વ્યાકુળ વ્યાકુળ બની રહે અને ભૂલમાંથી ઉગર્યા વિના લવલેશ ચેન ન પામે એવું અંતઃકરણ, “જાગૃત અંતઃકરણ' કહેવાય. ખરે જ જાગરૂક અંત:કરણ આત્માનો પરમગુરુ છે. સાચા સાધકનું જાગૃત અંત:કરણ કેવો અદ્દભુત ગુરુ બનીને...પળે પળે કેવી અદ્દભુત પ્રેરણા અને સજાગતા આપી રહે છે એનો ખ્યાલ અનભિજ્ઞને બિલકુલ આવતો નથી. અંતઃકરણને અહોરાત્ર જાગૃત રાખવું એ જ સાધકનું પરમ કર્તવ્ય છે. મૃતવત અંતઃકરણને પરમ જીવંત બનાવવું હોય તો છીછરાપણું ત્યજી, અંતરની ગહેરાઈમાં જેમ બને તેમ ઊંડા ઉતરવું. બને તેટલાં વધુ ને વધુ અંતર્મુખ થઈ જવું ને અંત:કરણનો ધીમો ધ્વનિ પણ સૂણીસમજી એને અનુરૂપ વર્તવું.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy