SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ સાધન બની રહે છે. જ્ઞાન પાંચ પ્રકારનું છે - મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન. __मतिश्रुतावधिमनः पर्यायकेवलानिज्ञानम् । तत्थ पंचविहं नाणं सुयं आभिनिबोधिय ॥ (તત્ત્વાર્થ તત્ત્વાર્થ સૂ. અધ્યા.-૧, સૂ.-૯) ओहिनाणं तु तइयं मणनाणं च केवलं (ઉત્ત. ૨૮મું અધ્ય, ગાથા-૩) ૨. સમ્યગદર્શન દર્શનયોગ : જે વસ્તુ જેવી છે તેને તે જ રૂપે જોવા તે સમ્યગું દર્શન છે. ઉમાસ્વાતિએ તત્ત્વાઈશ્રદ્ધા સવર્ણનમ્ | (તત્ત્વાર્થ સૂત્ર, અધ્યાય-૧, સૂટ-૨) નવ તત્ત્વોની શ્રદ્ધા તે સમ્યગુ દર્શન. અથવા દેવ, ગુરુ અને ધર્મ તે ત્રણ તત્ત્વ પરથી શ્રદ્ધા તે સમ્યગુદર્શન. અનાદિકાળના ભવભ્રમણનું કારણ છે જીવની ભ્રાંતિ અથવા મિથ્યાદર્શન. તેથી જ આ ભ્રમને ભાંગવો. સત્યદર્શન પ્રાપ્ત કરવું તે યોગમાર્ગમાં અત્યંત આવશ્યક છે. સમ્યગદર્શન પ્રાપ્ત કર્યા પછીની પ્રત્યેક ક્રિયા મોક્ષનું કારણ બની શકે છે. જિનેશ્વર પ્રરૂપિત આગમના માધ્યમથી અથવા સદ્ગુરુના નિમિત્ત પદાર્થના સ્વરૂપને જાણવું અને તેના પર શ્રદ્ધા રાખવી તે વ્યવહાર સમકિત. सत्ता वस्तूनि सर्वाणि स्याच्छब्देन वचांत्ति च । चिता जगति व्याप्तानि पश्यन् सदद्दष्टिरुच्यते ॥७॥ (ભટ્ટરાકશ્રી જ્ઞાનભૂષણકૃત તત્ત્વજ્ઞાન તરંગિણી, અધ્યાય-૧૨) સમસ્ત વસ્તુ જેમ છે તેમ સત્તારૂપે, તેના વાચક સમસ્ત વચનોને અનેકાંત દૃષ્ટિએ અને વિશ્વમાં વ્યાપેલ સર્વ પદાર્થોને જ્ઞાનદૃષ્ટિએ જોનાર તે સમ્યગુદૃષ્ટિ એ છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત , વૃત્તિ વહે નિજભાવમાં પરમાર્થે સમકિત. નિશ્ચયથી સમ્યગુદર્શનનું સ્વરૂપ સમજાવતા કહ્યું છે કેस्वकीये शुद्धचिद्रूपे रुचिर्या निश्चयेन तत् । (૧૯૪) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪ SIનધારા
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy