SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ] [ અણગારનાં અજવાળા તીર્થસ્વરૂપા પૂ. શ્રી નાથીબાઈ મહાસતીજી શુભ નામ : નાથીબહેન. જન્મદિન અને જન્મભૂમિ : સં. ૧૯૩૩, ફાગણ સુદ ૭, ઈ. સ. ૧૮૭૭, માર્ચમાં પ્રાંતિજ મુ. માતાપિતા માતા શ્રી ગુલાબબહેન, પિતાશ્રી લલ્લુભાઈ નરસિંહભાઈ શાહ. દીક્ષાદાતા ઃ ગુરુણીમૈયા : પૂ. શ્રી ઝલકબાઈ મ.સ.નાં સુશિષ્યા પૂ.શ્રી જડાવબાઈ આર્યાજી. સંયમ સ્વીકાર : સં. ૧૯૬૧, માગશર સુદ ૭, તા. ૧૦-૧૨-૧૯૦૪, ગુરુવારે, મુ. પ્રાંતિજ. સંપ્રદાય : દરિયાપુરી આઠ કોટિ સ્થાનકવાસી જૈન સંપ્રદાય. ધાર્મિક અભ્યાસ દીક્ષા પહેલાં : દશવૈકાલિક સૂત્ર’ અને ‘ઉ. સૂત્ર ૧૯મું અધ્યયન' કંઠસ્થ કર્યું. ૧૦૦ ઉપરાંત થોકડાં, ૩૦૦-૪૦૦ સઝાયો કંઠસ્થ કરી લીધી. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ ઘરે શીખ્યાં. દીક્ષા બાદ: ઉસૂત્ર', દશવૈકાલિક”, “નંદી સૂત્ર', “દશાશ્રુત સ્કંધ', “અનુત્તરોવવાઈ’, ‘સુખ વિપાક સૂત્ર' વગેરે કંઠસ્થ કર્યા. દીક્ષપ્રદાન : પૂ. શ્રી કાન્તાબાઈ મ.સ, ઝબકબાઈ મ.સશકરીબાઈ મ.સ, તેમનાં પ્રશિષ્યાઓ સર્વશ્રી : બા. બ્ર. પૂ. આનંદબાઈ, જસવંતીબાઈ, કુસુમબાઈ અને પ્રફુલ્લભાઈ, શકરીબાઈ. કાળધર્મ : સં. ૨૦૩૩ના ભાદરવા વદ ૧૧ને દિવસે. નીલકમળો અને વિશાળ જલરાશિવાળા સરોવરથી શોભતું સ્થાન અને વિવિધ ધર્મોથી ઓપતા ઉદાર ચરિતવાળા એવા માનવ-નિવાસોવાળા પ્રાંતિજ નગરમાં સુશ્રાવક શ્રી લલ્લુભાઈ નરસિંહભાઈ શાહને ત્યાં માતા ગુલાબબહેનની કુક્ષિએ નાથીબહેનનો જન્મ થયો હતો. છ દીકરીના મૃત્યુ ઉપર નાથીબહેન ઉપર ટૂચકો કરવામાં આવ્યો. અણીનો ચૂક્યો સો વર્ષ જીવે એમ નાથીબહેનને કચરામાં વાળવામાં આવ્યાં અને સો વર્ષ ઉપર આવી ગયાં.
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy