________________
આશીર્વચન
દશવૈકાલિક સૂત્રના નવમાં અધ્યયનમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ફરમાવ્યું છે કે :
"नो इहलोगठ्ठयाए
तवमहिठिज्जा
नो परलोगठ्ठयाए तवमहिठिज्जा
नो कित्तिवण्णससिकोगठ्ठयाए तवमहिठ्ठज्जा नन्नत्थ निज्जरठ्ठताए तपमहिठिज्जा ।
""
અર્થાત્ આ લોકના સુખ માટે તપ ન કરવું જોઈએ ,પરલોકના સુખ માટે તપ ન કરવું જોઈએ, કીર્તિ,પ્રશંસા કે શ્લાધા માટે તપ ન કરવું જોઈએ, પરંતુ એક માત્ર કર્મ નિર્જરા માટે જ તપ કરવું જોઈએ.આ
વીતરાગ વાણીને ધ્યાનમાં રાખીને તપ કરવામાં આવે તો આપણને પરમ શાંતિ -સમાધિની પ્રાપ્તિ થાય છે. કર્મોનો ક્ષય થાય છે.
"
આવી તપસ્યા કરનાર સર્વે તપસ્વીઓના તપને હાર્દિક અનુમોદના સર્વે તપના આચરણ દ્વારા અનાદિની આહાર સંજ્ઞાને જીતીને અણાહારી પદની પ્રાપ્તિ કરે તેવા હાર્દિક શુભાશીર્વાદ .
66
તપાધિરાજ વર્ષીતપ ” નું પ્રકાશન પ્રેરક અને કલ્યાણકારી બને, સર્વે તપસ્વીઓની તપસ્યા નિર્વિઘ્નપણે પાર પડે તથા ઉત્તરોત્તર તપમાર્ગમાં સર્વે આગળ વધતા રહે તેવી અંતઃકરણ પૂર્વકની શુભ
ભાવના...
તપાધિરાજ વર્ષીતપ
-મુનિ શ્રી પ્રકાશચંદ્રજી ( અજરામર સંપ્રદાય)
(IV)