SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાણુવાળા અને સ્થૂલ પડે છે. એટલે તે સ્કંધોથી જીવ ઔદારિકશરીર કે વૈક્રિયશરી૨ બનાવી શકતો ન હોવાથી તે સ્કંધોને જીવ ગ્રહણ કરતો નથી. એટલે તે અનંતીવર્ગણાનો એકવિભાગમાં સમાવેશ કરીને તે વિભાગને ઔદારિકશરીરને માટે અગ્રહણયોગ્ય ત્રીજીવર્ગણા કહે છે. ઔદારિક અગ્રહણયોગ્ય જવર્ગણાના એકસ્કંધમાં રહેલા પરમાણુને અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધરાશિના અનંતમાભાગથી ગુણતાં જેટલા પરમાણુ આવે છે. તેટલી અગ્રહણયોગ્યવર્ગણા હોય છે. એટલે અભવ્યથી અનંતગુણી અગ્રહણયોગ્ય વર્ગણા છે. અસકલ્પનાથી... ઔદારિકગ્રહણયોગ્ય ઉવર્ગણાના એક સ્કંધમાં ૧૦૧૦ પરમાણુ હોય છે. ઔદારિક અગ્રહણયોગ્ય જવર્ગણાના એક સ્કંધમાં ૧૦૧૦+૧=૧૦૧૧ પરમાણુ હોય છે અને ઉ૦વર્ગણાના એક સ્કંધમાં ૧૦૧૧×૧૦૦૦ [અભવ્યથી અનંતગુણ]=૧૦૧૧૦૦૦ પરમાણુ હોય છે. (૪) વૈક્રિય ગ્રહણયોગ્યવર્ગણા : ઔદારિક અગ્રાહ્ય ઉવર્ગણાના સ્કંધમાં રહેલા પરમાણુથી એકએક પરમાણુ વધારે હોય એવા સ્કંધના સમૂહની પહેલી, [જઘન્ય], બીજી, ત્રીજી વગેરે અનંતવર્ગણાઓ થાય છે. એ વર્ગણામાં રહેલા સ્કંધો જીવને વૈક્રિયશરીર બનાવવા માટે ઉપયોગી બને છે. તેથી તે અનંતવર્ગણાના એકવિભાગને વૈક્રિયશરીરને માટે ગ્રહણયોગ્ય ચોથીવર્ગણા કહે છે. વૈ૦ગ્રહણયોગ્ય જવર્ગણાના એક સ્કંધમાં જેટલા પરમાણુ હોય છે. તેનાથી તેનો અનંતમોભાગ પરમાણુ વધારે હોય એવા સ્કંધના સમૂહની ઉવર્ગણા થાય છે. એ અનંતમાભાગમાં અનંતપરમાણુ હોવાથી જવર્ગણાથી માંડીને ઉવર્ગણા સુધીની અનંતવર્ગણા થાય છે. અસકલ્પનાથી.... વૈક્રિયગ્રાહ્ય જવર્ગણાના એક સ્કંધમાં ૧૦૧૧૦૦૦+૧= ૧૦૧૧૦૦૧ પરમાણુ હોય છે અને જવર્ગણાના એક સ્કંધમાં રહેલા ૧૦૧૧૦૦૧ પરમાણુને અનંત=૧૦૦થી ભાગાકાર કરતાં ૧૦૧૧૦ આવે ૧૭ ૨૫૭
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy