SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિબંધમાં વધ-ઘટ : કોઈપણ જીવ નીચેથી ઉપરના ગુણઠાણા તરફ જઈ રહ્યો હોય છે. ત્યારે કષાયોદય મંદ થવાથી સ્થિતિબંધ ઘટતો જાય છે. અને ઉપરથી નીચે આવી રહ્યો હોય છે. ત્યારે કષાયોદય તીવ્ર થવાથી સ્થિતિબંધ વધતો જાય છે. ચિત્રનં ૩માં બતાવ્યા મુજબ અસકલ્પનાથી... ઉસ્થિતિબંધસ્થાનથી જસ્થિતિબંધસ્થાન સુધીના.. અસંખ્યસ્થિતિબંધસ્થાનો ૬૦ સ્થિતિબંધસ્થાનો સમજવા તેમાં ૧લા ઉસ્થિતિસ્થાને રહેલો જીવ ૨૦ કોકોસા) ઉસ્થિતિબંધ કરે છે. બીજા સ્થિતિસ્થાને રહેલો જીવ ૧૯ કોકોસાળ સ્થિતિબંધ કરે છે. ૩જા સ્થિતિસ્થાને રહેલો જીવ ૧૮ કોકો સાવ સ્થિતિબંધ કરે છે. એ રીતે, ઉપર ચઢતી વખતે એક-એક સ્થિતિસ્થાને એક-એક કોકો સા૦ સ્થિતિબંધ ઘટવાથી ૨૦માં સ્થિતિસ્થાને રહેલો જીવ ૧કો૦કો સાવ સ્થિતિબંધ કરે છે. ત્યારપછી ૨૧ થી ૫૧ સુધીના સ્થિતિસ્થાને રહેલો જીવ ક્રમશઃ નાની-નાની અંતઃકો૦કો સાવ સ્થિતિને બાંધે છે. એ જ રીતે, ઉપરથી નીચે આવતી વખતે ૨૧માં સ્થિતિસ્થાન સુધી ક્રમશઃ મોટી-મોટી અંતઃકો૦કો સાવસ્થિતિને બાંધે છે. ત્યારપછી એક-એક સ્થિતિસ્થાને એક-એક કોકોસાવધવાથી ૧લા ઉ0સ્થિતિસ્થાને ૨૦કોકો સાવસ્થિતિને બાંધે છે. એમ માનવું. સ્થિતિબંધનો અધ્યવસાય - સ્થિતિબંધ એ કાર્ય છે. તેનું કારણ “કષાયોદયજન્યપરિણામ” છે. એ કષાયોદયજન્યપરિણામને “સ્થિતિબંધનો અધ્યવસાય” કહે છે. એકજીવને એક સમયે એક જ સ્થિતિબંધનો અધ્યવસાય હોય છે એટલે જસ્થિતિથી માંડીને ઉસ્થિતિ સુધીની કોઈપણ એકસ્થિતિ એકજીવની અપેક્ષાએ એકસમયે એક સ્થિતિબંધના અધ્યવસાયથી બંધાય છે અને ત્રિકાળવર્તી અનેકજીવની અપેક્ષાએ એકસ્થિતિ અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા સ્થિતિબંધના અધ્યવસાયોથી બંધાય છે. K૧૧૮
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy