SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન :- (૪૦) કઈ પ્રકૃતિનો બંધ સર્વેમાર્ગણામાં હોય ? જવાબ :- એક જ શતાવેદનીયનો બંધ સર્વેમાર્ગણામાં હોય છે. બીજી કોઈ પણ પ્રકૃતિનો બંધ સર્વેમાર્ગણામાં હોતો નથી. પ્રશ્ન :- (૪૧) કેટલી માણામાં ઓઘબંધ ઘટી શકે છે ? જવાબ :- પંચેન્દ્રિય, ત્રસકાય, મનોયોગ, વચનયોગ, સામાન્યથી કાયયોગ, [આહારકકાયયોગ, આહારકમિશ્રયોગ] ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ દર્શન, ૭ સંયમ, કૃષ્ણાદિ-૩ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષાયિક, ક્ષયોપશમ, સાસ્વાદન, મિશ્ર, મિથ્યાત્વ, સંજ્ઞી, અસંજ્ઞી અને આહારી એમ કુલ-૪૪ માર્ગણામાં ઓઘબંધ ઘટી શકે છે. ઉદયસ્વામિત્વ પ્રશ્ન :- (૪૨) સમ્યકત્વગુણઠાણે કઈ નરકમાં નરકાનુપૂર્વનો ઉદય હોતો નથી ? જવાબ :- પંચસંગ્રહકારનાં મતે ઃ તિર્યંચ-મનુષ્યો સમ્યક્ત લઇને પ્રથમ નરક સુધી જ જઈ શકે છે. તેથી પહેલી નરકમાં સમ્યકત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોય છે. પણ બીજી વગેરે નરકમાં સમ્યકત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. - કર્મગ્રન્થકારનાં મતે : ક્ષાયિકસમ્યકત્વી જીવ ૧થી ૩ નરક સુધી જ જઈ શકે છે. તેથી ૧થી ૩ નરકમાં સમ્યકત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોય છે. પણ ચોથી વગેરે નરકમાં સમ્યકત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. • સિદ્ધાંતનાં મતે : લાયોપથમિક સમ્યકત્વી જીવ ૧થી ૬ નરક સુધી જઈ શકે છે. તેથી ૧થી૬ નરકમાં સમ્યકત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોય છે. પણ સાતમી નરકમાં સમ્યકત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. ૨૭૩
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy