SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ સાસ્વાદનગુણઠાણે અનંક્રોધ, અનં૦માન, અનં૦માયા, અનંલોભ, સ્થાવર, એકેન્દ્રિયજાતિ, બેઈન્દ્રિયજાતિ, તેઈન્દ્રિયજાતિ અને ચઉરિન્દ્રિયજાતિ.... એ ૯ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. અનંતાનુબંધી કષાયનો ઉદય સમ્યક્ત્વનો ઘાતક છે. એટલે જ્યાં સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય હોય ત્યાં સુધી સમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી એટલે અનંતાનુબંધી કષાયના ઉદયવાળા જીવો મિશ્રદૃષ્ટિ કે સમ્યક્ત્વાદિ ગુણઠાણે જઈ શકતા નથી. તેથી સાસ્વાદનગુણસ્થાનકના અંતે અનંતાનુબંધી કષાયનો ઉદયવિચ્છેદ કહ્યો છે. સ્થાવરનામકર્મ અને એકેન્દ્રિયજાતિનામકર્મનો ઉદય એકેન્દ્રિય જીવોને જ હોય છે. બેઈન્દ્રિયજાતિનામકર્મનો ઉદય બેઈન્દ્રિયજીવોને જ હોય છે. તેઈન્દ્રિયજાતિનામકર્મનો ઉદય તેઈન્દ્રિયજીવોને જ હોય છે અને ચરિન્દ્રિય જાતિનામકર્મનો ઉદય ચઉરિન્દ્રિયજીવોને જ હોય છે. તેઓને ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી એટલે ઉપશમસમ્યક્ત્વથી પડીને સાસ્વાદનગુણસ્થાનકે જવાનું હોતું નથી. પરંતુ કોઈક સંજ્ઞીપંચેન્દ્રિયપર્યાપ્તો જીવ ઉપશમસમ્યક્ત્વથી પડીને સાસ્વાદનગુણઠાણે આવ્યા પછી જો મૃત્યુ પામીને લબ્ધિપર્યાપ્તાએકેન્દ્રિયાદિ ભવમાં ઉત્પન્ન થાય, તો સાસ્વાદની એકેન્દ્રિયાદિજીવોને શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદનગુણસ્થાનક હોય છે. પછી તે મિથ્યાત્વગુણઠાણે આવી જાય છે. એટલે જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદન ગુણઠાણે સ્થાવર અને એકેન્દ્રિયાદિજાતિચતુનો ઉદય હોય છે. તથા મિશ્રાદિગુણસ્થાનકો એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવને પ્રાપ્ત ન થતા હોવાથી, ત્યાં સ્થાવરાદિ-પનો ઉદય હોતો નથી. તેથી સાસ્વાદનગુણસ્થાનકના અંતે સ્થાવરાદિ-૫ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ કહ્યો છે. ૩થી૫ ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય : मीसे सयमणुपुव्वीणुदया मीसोदएण मीसंतो । ઘડ સયમનણ સમ્મા-શુ-પુલ્વિલેવા વિઞસાયા | ૧૫ ॥ मणु-तिरिणुपुव्वि-विउवट्ठ- दुहग अणाइज्जदुग सतर छेओ । સાક્ષીફ રેસિ તિરિાફ-આ--નિ-૩ખોય-તિસાયા ।। ૧૬ 11 ૨. ગતિ-૪+જાતિ-૫+૨૦૪+ઉપાંગ-૨+સં૦૬+સં૦૬+વર્ણાદિ-૪+આનુ૦૩-વિહા૦૨=૩૬ + પ્ર૦૬ (તીર્થંકર અને આતપ વિના) + ત્રસ-૧૦ + સ્થાવર + અસ્થિરાદિ-૬=૫૯ ૧૦૫
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy