SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦×૧૦=૧૦૦ દલિકો સંક્રમાવે છે. ત્રીજા સમયે ૧૦૦x૧૦ = ૧૦૦૦ દલિકો સંક્રમાવે છે. એ રીતે, ૧૦મા ગુણઠાણાના છેલ્લાસમય સુધી સમજવું..... અપૂર્વકરણ ગુણઠાણામાં જીવો- ૨ પ્રકારે હોય છે. (૧) ક્ષેપક (૨) ઉપશમક. (૧) જે જીવ ચારિત્રમોહનીયકર્મનો ક્ષય કરી રહ્યો છે તે “ક્ષપક” કહેવાય છે અને (૨) જે જીવ ચારિત્રમોહનીયકર્મને ઉપશમાવી રહ્યો છે તે “ઉપશમક” કહેવાય છે. જો કે, ચારિત્રમોહનીયકર્મનો સર્વથા ક્ષય અને ઉપશમ નવમાદશમા ગુણસ્થાનકે થાય છે. આઠમાગુણસ્થાનકે તો ચારિત્રમોહનીયની એક પણ કર્મપ્રકૃતિનો ક્ષય કે ઉપશમ થતો નથી. તો પણ જેમ ભવિષ્યમાં રાજકુંવરમાં રાજા થવાની યોગ્યતા હોવાથી રાજકુંવરને રાજા કહેવાય છે તેમ અપૂર્વકરણગુણસ્થાનકમાં રહેલા જીવો ચારિત્રમોહનીયકર્મનો ક્ષય કે ઉપશમ કરવાની યોગ્યતાવાળા હોવાથી, તેને ક્ષપક કે ઉપશમક કહેવાય છે. અધ્યવસાયનું સ્વરૂપ :| સ્થિતિબંધનું કારણ “કષાયોદય” છે. કષાયોદયથી ઉત્પન્ન થતાં પરિણામને સ્થિતિબંધનો અધ્યવસાય કહે છે. રસબંધનું કારણ “કષાયોદયયુક્તલેશ્યા” છે. કષાયોદય સહિત લેશ્યાથી જન્ય પરિણામને રસબંધનો અધ્યવસાય કહે છે. એક જીવને એક સમયે એક જ અધ્યવસાય હોય છે. એકથી વધુ ન હોય. એટલે એક જીવની અપેક્ષાએ એક સમયે એક જ અધ્યવસાય હોય છે અને ત્રિકાળવર્તી અનેક જીવની અપેક્ષાએ એક સમયે અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાય કેવળી ભગવંતે કહ્યાં છે. અધ્યવસાયમાં વિશુદ્ધિ :| વિશુદ્ધિ-૨ પ્રકારે છે. જ (૧) તિર્યમુખી એ કાવાદાસગુણાનો (૨) ઉર્ધ્વમુખી યોગીકે લીગુણસ્થાન) સંયોગીકેવલીકુશસ્થાન) 1 લીણમોગુણસ્થાનકે ઉપરાંતિમોગુણના (કમપિરાય આપવરવતાં અતિ વૃત્તિ શક્યા અપૂર્વકપરશુરારચાનો અમદગુણસ્થાનક T પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનકે લખ્યત્વગુણસ્થાન) મિશ્રણIRચાનક ૧૧૦NIA વિધ્યાવાસસ્થાનક ૧૧૦
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy