SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન સમાધાન-અનુત્તરમાં જનારા છવ પ્રથમ સંઘયણવાળા જ હોય માટે બીજા ત્રીજા સંધયણવાળા જીવો ઉપશમશ્રેણિ માંડે તોપણ તેઓ શ્રેણિમાં કાલ ન કરે એમ માનવુંજ ઉચિત છે. પ્રશ્ન ૭૯૯-કેટલાકે સ્વયંભૂરમણની વેદિકાથી સંખ્યાત યાજન સુધી પણ લેક કહે છે એ શું વ્યાજબી છે અને હોય તે તે શા હિસાબે વ્યાજબી ગણાય ? સમાધાન-સ્વયંભૂરમણની પૂર્વાપરવેદિકાનું અંતર એક રાજ પ્રમાણ છે, પણ ક્ષુલ્લક પ્રત ઘમાં પૃથ્વીના સંખ્યાત જન પછી હેવાથી સ્વયંભૂરમણની વેદિકા કેટલાક યોજન અધિક સુધી તીર્થ"બ્લેક પ્રમાણ હેય તે અસંભવિત નથી. પૂર્વાપરવેદિકા જેટલો લક કહેવાય છે તે અલ્પની અપેક્ષાથી સમજી શકાય. રત્નપ્રભાથી સામાન્ય રીતે પણ બાર યોજન દૂરજ અલક છે. આ પ્રશ્ન ૮૦૦-સૌધર્માદિ ઈન્દ્રો બીજિનેશ્વરમહારાજનો જન્મ કયા કયા કારણથી જાણી શકે છે? - સમાધાન-આસનનો પ્રકંપ, સતત ઘંટનાદ અને અવધિજ્ઞાન એ ત્રણ કારણોથી સૌધર્માદિના ઈન્દ્રો શ્રીજિનેશ્વર દેવના જન્મને જાણે છે, એમ શ્રી પ્રવજ્યાવિધાનની વૃત્તિમાં શ્રી પ્રદ્યુમ્નસૂરિ જણાવે છે. પ્રશ્ન ૮૦૧-શ્રી અજિતનાથજી વિગેરે તેવીશ ભગવંતે ગૃહસ્થાવસ્થામાં સંસ્કાર કરેલ આહાર કરતા હતા. પણ ભગવાન શ્રીષભદેવજી તો ગૃહસ્થપણુમાં દેવકુરૂના ફલ ખાતા હતા તો તેઓ પાણી કયું પીતા હતા? સમાધાન–ભગવાન ઋષભદેવજી ગૃહસ્થાવસ્થામાં ક્ષીરદધિસમુદ્રનું પાણી પીતા હતા એમ શ્રી પ્રદ્યુમ્નસૂરિજી જણાવે છે. પ્રશ્ન ૮૦૨-લલિતાંગદેવની સ્વયંપ્રભાદેવી જે પહેલાં હતી તે જ નિનોમિકા થઈને ફેર સ્વયંપ્રભા થઈ છે કે બીજી થઈ છે?
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy