SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ સાગર પ્રશ્ન ૧૦૪૬-જે જે દેવતાઓ ભવનપતિ વિગેરે પોતાના અવધિક્ષેત્રની બહાર જાય ત્યારે બહાર ગયેલા પ્રદેશમાં શું અવધિજ્ઞાનાવરણયને ઉદય થાય છે એમ માનવું ? સમાધાન-પિતા પોતાના સ્થાનથી અને અધિક્ષેત્રથી બહાર ગયેલા દેવતાઓના આત્માના તે બહાર ગયેલા પ્રદેશમાં પણ અવધિજ્ઞાનવરણયને ક્ષપશમ છે પણ અવધિજ્ઞાનાવરણીયને ઉદય નથી. સમગ્ર આત્મપ્રદેશથી એક ઉપયોગ થતો હોવાને લીધે જે જે દેવતાને જેટલું જેટલું અવધિજ્ઞાન હોય છે તે તે દેવતાઓના અધિક્ષેત્રથી બહાર ગયેલા પ્રદેશે પણ તેટલાજ અવધિજ્ઞાનવાળા હેય છે. એટલે તે પ્રદેશને અવધિજ્ઞાનનું આવરણ થયેલું માનવાનું રહેતું નથી. અડધા અજવાળા અને અડધા અંધારામાં રહેલ દેવદત્ત જેમ દીપકના પ્રકાશગત પદાર્થોમાં દેખવામાં સર્વ આત્મપ્રદેશથી ઉપયોગવાળો છે, તેમ દેવતા પિતાના સ્થાને અગર બીજે સ્થાને અવધિથી પદાર્થને જાણવામાં ઉગવાળા જ છે. પ્રશ્ન ૧૦૪૭–દેવતા જ્યારે પોતાને સ્થાને હોય કે ઉત્તરક્રિય કરી ઉત્તરવૈક્રિયથી અન્યત્ર સ્થાને ગયેલ હોય ત્યારે પિતાનું નિયમિત જે અવધિક્ષેત્ર તેજ જાણે તો બ્રહ્મદેવલેકથી માંડીને અશ્રુતસુધીના દેવો કદાચ ત્રીજી નરક વિગેરેના અવધિજ્ઞાનવાળા હોવાથી ત્યાંના મિત્ર કે શત્રુ નારકની સાતા, અસાતા કરવા જાય, પરંતુ બીજાઓને તે ક્ષેત્રનું અવધિ ન હોવાથી શી રીતે જાય ? સમાધાન-ભવનપતિ વિગેરે દેવતાઓ ભવપ્રયિક વૈર કે મિત્રતાને લીધે ત્યાં જાય, અને જગતમાં જેમ પૂર્વ ભવમાં વૈર અને સ્નેહ યાદ આવ્યા વિના પણ પૂર્વભવના તે તે વૈર અને સ્નેહના સંબંધવાળાં કાર્યોમાં તે તે વૈર અને સ્નેહને અનુસારેજ પ્રવૃત્તિ થાય છે, તેમ ત્યાં પણ તેવી પ્રવૃત્તિ થાય તેમાં આશ્ચર્ય નથી. રાજાઓ વિગેરે તેવા જ્ઞાન વિના પણ જગલ વિગેરેમાં જાય છે અને ત્યાં તેવા કેવા કર્મોદયવાળા પ્રાણિયેનો નાશ પણ કરે છે અને કેટલાકને પાળવા માટે પણ લાવે છે.
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy