SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ રંગમંડપના પ્રવેશદ્વારની બંને બાજુએ ગુરૂદેવશ્રીના દક્ષાથી માંડી અંત સુધીનાં ચાતુર્માસેની અને જીવનના મુખ્ય પ્રસંગેની નોંધ આપવામાં આવી છે. રંગમંડપમાં દક્ષિણ તરફના દ્વારની ઉપર શ્રી આગદ્ધારકે આપેલી વાચનાનું દશ્ય છે. રંગમંડપમાં પશ્ચિમ તરફની બન્ને બાજુની દીવાલ ઉપર આગાદ્વારકના રચેલા સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થ અને સંકલિત પ્રત્યેનાં નામો આરસમાં અંકિત કરાવવામાં આવ્યાં છે. ગભારાના પ્રવેશદ્વાર ઉપર રાજપ્રતિબંધનું દશ્ય છે. આમાં મણે ગુરુદેવશ્રી, ડાબી બાજુએ શિલાના નરેશ છે ને જમણી બાજુએ રાજાએ આપેલે અમારી પડતને પટ્ટક છે. રંગમંડપમાં ઉત્તર તરફના દ્વારની ઉપર (૧) સ્કંદિલાચાર્યું આપેલી માથુરીવાચના છે ને (૨) દેવગિણિક્ષમાશ્રમણે કરાવેલ પુસ્તકારોહણરૂપ વલભીવાચના છે. રંગમંડપમાં દક્ષિણ અને ઉત્તર તરફના દ્વારોની બન્ને બાજુએ ચાર દશ્યો છે. પૂ. આગમો દ્ધારક આચાર્યદેવથી આનંદસાગર, સૂરીશ્વરજી મહારાજના સદ્દઉપદેશથી સ્થાપાયેલ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકધાર ફંડ તરફથી છપાએલ સચિત્ર “બારસા સૂત્ર” મૂળી તામ્રપત્ર ઉપર ઉપસાવેલ અક્ષરેથી અલંકૃત કરી સુંદર ફ્રેમમાં તૈયાર કરીને દીવાલ ઉપર લગાડવામાં આવેલ છે. તે એક અદ્ભુત વસ્તુ શ્રી આગદ્ધારક-ગુરુમંદિરમાં દર્શન કરવા લાયક બનેલ છે. રંગમંડપના ઘુમટમાં ગુરુદેવશ્રીને દેહની જેવી સ્મશાનયાત્રા નીકળેલી હતી, તેવી આબેહૂબ તેમાં આલેખવામાં આવી છે.
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy