SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૧૩૭ પૂજામાં વિરાધના ગણે અર્થાત પુષ્પદીપકઆદિમાં હિંસાના નામને આગલ કરી ગૃહસ્થને તે પૂજાથી રોકવાવાળા તે મહા અભિનિવેશવાળા સિવાય બીજા હેયજ નહિ. આ આરતીને ખુલાસે શ્રીશ્રાદ્ધદિનકૃત્યની ટીકાથી વિશેષપણે મેળવી શકાશે. પ્રશ્ન ૯૯૭–ભગવાન જિનેશ્વરમહારાજની મૂર્તિ દર્શનીય વંદનીય અને આરાધ્ય છે એમ માનવા છતાં પણ સામાયિકની અવસ્થામાં તેના ફલની અભિલાષા શા માટે “વળતિયાણ' આદિ કહીને કરાય છે? સમાધાન-હજારો વર્ષોથી શ્રાવકે ભગવાન જિનેશ્વરમહારાજની મૂર્તિની પૂજાઆદિ કરવાવાળા છતાં પણ જે સામાયિકની અવસ્થામાં વળવાઈઆદિ ભગવાન જિનેશ્વરમહારાજની પ્રતિમાના વંદન પૂજન આદિના ફળની પ્રાપ્તિ માટે કહે છે તેથી સ્પષ્ટ થાય છે કે શ્રાવકને સદા કાળ એજ ધર્મ છે કે–ભગવાન જિનેશ્વરમહારાજની મૂર્તિની પૂજા સકારાદિની તીવ્ર ને તીવ્ર આકાંક્ષા હેય. પ્રશ્ન ૯૬૮-ભગવાન જિનેશ્વરમહારાજની પ્રતિમાની પૂજા શ્રાવકોને અવશ્યકર્તવ્ય તરીકે અને પ્રતિદિન વિશેષ કર્તવ્ય તરીકે હોય અને એવી સ્થિતિ જેઓની હોય તે જ વાસ્તવિક રીતે શ્રાવક છે એટલે દિગંબર અને સ્થાનકીયાને તે પોતાને શ્રાવક કહેવડાવવાને પણ હક નથી પરંતુ સાધુમહાત્માઓ પાંચ મહાવ્રત રૂ૫ ભાવપૂજામાં તત્પર હોવાથી તેઓથી “વંતળવત્તિયાણ આદિ પાઠ કેમ બોલાય ? સમાધાન–સાધુમહાત્માઓ મહાવ્રતરૂપ ભાવપૂજામાં તત્પર છે એમાં કોઈ જેને મતભેદ કર્યો નથી. પરંતુ દ્રવ્યપૂજાને લાભ એ કંઇ ભાવપૂજાથી વિરોધી નથી. શું ધ્યપૂજા દ્વારા થતી સમ્યકત્વની શુદ્ધિ અને પૂર્વકાલમાં ઉપાર્જન કરેલ કર્મની નિર્જરા એ બે વસ્તુ ભાવપૂજારૂપ મહાવ્રતથી વિરૂદ્ધ છે ? યાદ રાખવું કે ઘર એ પરિગ્રહ હેઈઆશ્રવ છે. છતાં તેને ઉપાશ્રય તરીકે થતો ઉપયોગ મુનિ-મહારાજાઓને પણ
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy