SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૧૦૧ સમાપ્તિ કે ભગ એકડેય નથી તે પછી તેરશે કયા કારણથી પુનમ માનવી અને પુનમને તપ શાથી યોગ્ય ગણાય? પ્રશ્ન ૯૨૧-જ્યારે ટીપણામાં પુનમની વૃદ્ધિ હોય ત્યારે સ્પષ્ટપણે, માને કે–શનિવારે તેરશ તો રવિવારે ચઉદશ અને સેમ તથા મંગળવારે પુનમ હોય, અને તે વખતે શનિવારે તેરશ કરવા સાથે રવિવારે પણ તેરશ કરાય અને સમવારે ચઉદશ કરી મંગળવારે પુનમ કરાય છે. તેમાં રવિવારે ચઉદશને ઉદય હતો છતાં તે દિવસે ચઉદશ ન માનતાં સોમવારે વગર ઉદયે ચઉદશ માની, એ સર્વ ઉદયના સિદ્ધાંતનો અનાદર કરનાર, અને ઉદય, સમાપ્તિ કે ભોગ ન હોય તેવી તિથિઓ તે તે દિવસે માનવાથી મિથ્યાવાદ બોલનાર ન કહેવાય ? સમાધાનને તિથિ પ્રમાણ કરવી કે જેમાં ઉદય હેય એ વાતને કોઈપણ નથી માનતું એમ છેજ નહિ, પરંતુ આ વાત જરૂર ધ્યાનમાં રાખવાની છે કે-ઉદયવાળી તિથિને પ્રમાણ કરવી એવા વિધાનની જ જરૂર શી? કહેવું જોઇશે કે તિથિના પ્રારંભની અપેક્ષાએ, ભગવટાની અપેક્ષાએ, પ્રતિક્રમણ વખતે હવાની અપેક્ષાએ, સમાપ્તિની અપેક્ષાએ, તિથિનું આરાધન કરવામાં આવે તે ઉપવાસ, છઠ્ઠ, અમઆદિ ન બને, કેમકે તે ઉપવાસ આદિ તે બે સૂર્યોદયનાં આંતરાની સાથે સંબંધ રાખ નારા છે. વળી દેશાવકાશિક, પૌષધ અને અતિથિસંવિભાગ જેવા વ્રત કે જે તિથિઓને દિવસે અવશ્ય કરવાનાં હેય છે અને તે પણ અહેરાત્ર કે દિવસ અગર રાત્રિથી પ્રતિબદ્ધ હોય છે માટે તિથિના પ્રારંભ, બેગ કે સમાપ્તિ ગમે ત્યારે હેય તે પણ તિથિને અતિથિના અહેરાત્રની સાથે સંબદ્ધ કરવાને માટે જ જે તિથિમાં સૂર્યોદયને સંબંધ થાય તે તિથિને પ્રમાણુ ગણવી એટલે સૂર્યોદયને ફરસવાવાળી તિથિ છે એમ ગણવી અને સૂર્યોદયને ફરસવાવાળી તિથિ ભલે થોડી હોય કે ઘણી હેય તે પણ તેની હયાતી ન ગણવી, પણ ક્ષય પામેલી ગણવી, ઉપર જણાવેલી હકીકત સમજનારે સ્પષ્ટપણે સમજી શકે કે અહીં તિથિપણાનું વિધાન
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy