SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૫) પ્રશ્ન ૩૮૬—ભાવયા વિના આવેલા સંસારના કંટાળા તે નિવેદ કહેવાય કે નહિ ? સમાધાન—ભાવધ્યા વગરને આવેલા સંસારના કંટાળા તે નિવેદ કહેવાય નહિ, પણ રાજા, ચક્રવતી વાસુદેવ, પ્રતિવાસુદેવપણાનાં તથા દેવતાઈ સુખ વિગેરે, સસારમાં ઉચ્ચમાં ઉચ્ચ સુખનાં સ્થાન મળે તે પણ જેને ઉદ્વેગ જ રહ્યા કરે, આધિ વ્યાધિ ઉપાધિ જેને ડગલને પગલે કાંટાની માક સાલ્યા કરે અને દુઃખની ખાણુરૂપ સંસારથી ક્યારે છૂટાય આવી ભાવયા આવે ત્યારે જ નિવેદ કહેવાય ? પ્રશ્ન ૩૮૭—કયા ગુણા ક્રૂરસે ત્યારે સમ્યગ્દષ્ટિ મનાય ? સમાધાન—પચાશક-સૂત્રમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે ‘સુશ્રાવિમુળ પો:’સાંભળવાની ઇચ્છા આદિ ગુણાને રસનારા જે આત્મા તે સમ્યગ્દષ્ટ છે. પ્રશ્ન ૩૮૮—કઈ કરણીથી શ્રાવક્ર કહેવાય ? સમાધાન—‘સંવત્તર કળાર્' ઇત્યાદિ સમ્યગ્દર્શનાદિ પામ્યા હાય, ઉત્કૃષ્ટ આચાર વિગેરેને સાંભળે અને કેવલ વિરતિ એ જ ધર્મ એમ માને તે શ્રાવક કહેવાય. પ્રશ્ન ૩૮૯ મેાક્ષની બુદ્ધિએ ભાવ-સાધુપણુ આવ્યું એમ જણાવવાની નિશાની કઈ છે? છે સમાધાન—હા, છે. આ સર્વોત્કૃષ્ટ જૈનશાસન એજ અથ એટલું જ નહિ પણ એ શાસનજ પરમાર્થ (પરમેત્કૃષ્ટ અથ) છે આવી માન્યતા થયા પછી બાકીની બધી દુનિયાદારીની વસ્તુને અનર્થંકર, આત્માને ડુબાવનાર માને—આ ત્રણ (અર્થ, પરમાર્થ અને અનર્થ રૂપ) પ્રકારની મુદ્ધિ મુખ્ય હાય અને સાધુપણું પળાતું હાય તા તેજ ભાવ– સાધુપણાની નિશાની છે.
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy