SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૩) સમાધાન–ના, રિવાજની અયોગ્યતાનું અવલોકન કરીને વસ્તુના વાસ્તવિક સ્વરૂપને નહિ પીછાણનારા વસ્તુને અગ્ય કહેવામાં હિમાલય જેવી મહાન ગંભીર અને અનર્થકારી ભૂલ કરે છે. રિવાજ અને વસ્તુ એ બે તદ્દન અલગ છે. આ ભૂલ સુધારવા માટે શુઓની શુશ્રષાદિ કરવા યોગ્ય છે. જેમ દેવદત્તના વેવિશાળ વિષ્ણુદત્તને ત્યાં થયા. લગ્ન થયા બાદ વિશુદત્તના ઘેરથી કન્યાને વળાવવા માટે જે રીત રીવાજ કરવા જોઈએ તે તે કન્યાના માબાપે કર્યા નહિ અને કન્યા ઊઠીને દેવદત્તને ત્યાં ચાલી ગઈઅગર દેવદત્ત પિતાના સાસરેથી લગ્નને અનુ. સરતી રીતભાત થયા વગર તે સ્ત્રી લઈ આવ્યો, અને તે સ્ત્રી પિતાનું ઘર માંડીને રહી. આ દષ્ટાંતમાં લગ્નને અનુસરતી રીતભાત અયુક્ત કહી શકશો. પણ લગ્ન અયોગ્ય છે, એમ કહેવા કે તે રીતભાત બરોબર થઈ નથી માટે લગ્ન તેડી નાખે, અગર લગ્ન ગેરકાયદેસર છે, એમ કહેવાને જગતભરમાં કોઈ પણ સમજ મનુષ્ય તૈયાર થશે નહિ. તેવી રીતે દીક્ષાદિ વસ્તુઓ અગ્ય નથી, તેની રીતિ કદાચ અયોગ્ય કહી શકે તે તે જુદી વાત છે. દષ્ટાંત તરીકે આર્ય રક્ષિતસૂરીશ્વરજીની થયે દીક્ષામાં આચાર્યને શિષ્યનિષ્ફટિકા દોષ કહ્યો પણ તે દીક્ષાને અયોગ્ય કહી નહિ. તેમજ તે આર્યરક્ષિતજીને સૂરિપુરંદર, પૂર્વધર ભગવાન તરીકે વંદન નમસ્કાર કર્યા નથી એમ નથી, પણ તે દીક્ષાથી પ્રભુશાસનની વૃદ્ધિ થઈ એમ માન્યું છે. અન્યથા તે આર્યરક્ષિતજીને મુનિ આચાર્ય કે યુગપ્રધાન તરીકે કઈ માનત નહિં, તેવી જ રીતે તેમના પિતાશ્રીજીને વૃદ્ધાવસ્થાએ દીક્ષા આપી, દીક્ષાની વય ઉલ્લંધન થઈ હતી માટે તેમાં પણ રીતિ અયોગ્ય કહેવાય, પણ તે દીક્ષા અગ્ય કહેવાય એમ નથી. પાંચસે ચોરોને દીક્ષા આપવામાં આવી તે પણ રીતિ અગ્ય કદાચ કહેવાય, પણ દીક્ષા અયોગ્ય કહેવાય જ નહિ. આ ઉપરથી આજે દીક્ષા જેવી પરમપાવન વસ્તુને અગ્ય કહેતાં વિચારવાનું છે કે રીતભાત અગર રિવાજ અગ્ય કહેવાય અને તે ક્ષમ્ય પણ કદાચ ગણાય; પણ દીક્ષા અગ્ય છે એવું કથન કેઇપણ સ્થળે કર્યું
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy