SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્માને શાસનમાં ૨૫૦૦ વર્ષમાં નહિં બનેલ એવા શ્રી વર્ધમાન જૈન આગમમંદિર તથા શ્રી વર્ધમાન જૈનતામ્રપત્રાગમંદિર બંધાવી તેમાં શિકીશું અને તામ્રપત્રારૂઢ કરાવીને સ્થાપન કરાવનારા, પૂજ્ય ગુરૂદેવશ્રીએ પ્રથમ જે આગમ શ્રી જિનેશ્વર ભગવાનની વાણું છે. આ કલિકાલમાં પણ જિનેશ્વર ભગવાનના વિરહકાળમાં આગમ તારક છે, સંસારસમુદ્ર તરવામાં આગમ નાવ સમાન છે, સુદેવ-સુગુરૂ અને સુધર્મ એ તત્વમયી રત્નત્રયીની અખંડ આરાધના માટે આગમ આવશ્યક છે, આ આગમે ઘણું પૂર્વકાળમાં કંઠસ્થ રહેતા હતા, (તેના અંગે ભદ્રબાહુ સ્વામીની પ્રતિકૃતિ જુઓ.) શક્તિ ધ્યાળી ગીતાર્થ આચાર્યદેવો અને સમર્થ વિદ્વાન મુનિવરો તે વખતે એવું સામર્થ્ય ધરાવતા હતા, ત્યારપછી કાળની વિષમતાને લીધે પૂર્વવત્ સ્થિતિ ન રહેવાથી તે સમયે સમયના જાણુ ગીતાર્થ પૂ૨ દેવદ્ધિગણિ-ક્ષમાશ્રમણે આગમોને લીપિબદ્ધ કર્યા. તેને અંગે દેવદ્ધિગણિ-ક્ષમાશ્રમણની પ્રતિકૃતિ જુઓ.) તે આગમે તાડપત્ર તથા હસ્તલિખિત પ્રતોમાં સેંકડે વર્ષ સુધી જળવાયાં પછી વર્તમાનકાળમાં મુદ્રણકળાના યુગમાં આગમને સંપૂર્ણ શુદ્ધ સંશોધિત કરી, સારા ટકાઉ લેજર પેપરમાં છપાવી. (તેને અંગે આગમ દ્વારકશ્રીની પ્રતિકૃતિ જુઓ.) અનેકસાધુ-સાધ્વીઓને નીચે પ્રમાણે, પાટણ અમદાવાદ પાલીતાણું રતલામ સુરત કપડવંજ આદિ શહેરમાં આગમ આદિ શાસ્ત્રોની વાચનાઓ આપી અને ૪૫ આગમ મૂળ છપાવી મોટા શહેરોમાં પેટીઓ મૂકાવનાર અને શ્રી જૈનાનંદ પુસ્તકાલય તરફથી અનેક નાનામોટા શહેરોમાં જ્ઞાનભંડાર મૂકાવનાર અને તેઓશ્રીના જીવનમાં બનેલા અનેક ધાર્મિકપ્રસંગમાંના મુખ્ય–પ્રસંગે નીચે પ્રમાણે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy